________________
ગુરુ પ્રત્યે ભક્તિ
दावेऊण धणनिहिं, तेसिं उप्पाडियाणि अच्छीणि । नाऊण वि जिणवयणं, जे इह विहलंति धम्मधणं ॥२६१॥ અર્થ—આ સંસારમાં જેઓ તીર્થંકરે ભાખેલા વચનને જાણીને પણ તે ઘર્મરૂપી થનને વિલ (નિષ્ફળ) કરે છે તેઓએ દરિદ્રીને રત્નસુવર્ણાદિકથી ભરેલો ઘનનો નિધિ દેખાડીને પછી તેનાં નેત્રો ઉપાડી (કાઢી) નાંખ્યા છે.
૨૫૫
ભાવાર્થ—જે ભગવાનનું વચન જાણીને પણ આ ભવમાં તેનું પાલન કરતા નથી તેને ઘર્મરૂપી ધન પ્રાપ્ત થતું નથી. તેઓને ઘર્મની પ્રાપ્તિ નિષ્ફળ છે. તેઓને દૈવે ઘનનો ભંડાર દેખાડીને આંખો કાઢી લીધી છે, એમ સમજવું.
ठाणं उच्चुच्चयरं, मज्झं हीणं च हीणतरगं वा । जेण जहि गंतव्वं, चिट्ठा वि से तारिसी होइ ॥ २६२ ॥
અર્થ—“ઊંચું સ્થાન દેવલોક, એથી ઊંચેરું સ્થાન મોક્ષપદ, મધ્યમ સ્થાન મનુષ્યલોક, તેથી હીન (હલકું) સ્થાન તિર્યંચગતિ, તેથી હીનતર સ્થાન નરકગતિ– એ સ્થાનોમાંથી જે સ્થાને જે જીવે જવાનું છે તે જીવની ચેષ્ટા પણ તેવી જ થાય છે. બસે મરર્ફ તસે નવા—જે લેશ્યાએ પ્રાણી મરે છે તે લેશ્યાએ ઉત્પન્ન થાય છે એવું સિદ્ધાંતનું વચન છે.
जस्स गुरुम्मि परिभ्रवों, साहूसु अणायरो खमा तुच्छा । થર્મો ય અળદિલ્હાસો, ગહિાલો તુમğ ૩ ॥૨૬॥
અર્થ—“જેને ગુરુ પ્રત્યે પરિભવ એટલે અવજ્ઞા કરવાપણું હોય, સાધુઓ પ્રત્યે અનાદર હોય, જેને તુચ્છ (થોડી) ક્ષમા હોય અને જેને ક્ષાંતિ વગેરે દશ પ્રકારના યતિધર્મમાં અનભિલાષ (અનિચ્છા) હોય તેને આ દુર્ગતિનો અભિલાષ જાણવો. (તે દુર્ગતિમાં જવાને ઇચ્છે છે, એમ જાણવું.)”
।
. સારીરમાળલાળ, તુવવસહસ્સાળ વલળરિમીયા । नाणंकुसेण मुणिणो, रागगइंदं निरंभंति ॥ २६४ ॥ અર્થ—“શરીર સંબંધી અને મન સંબંધી હજારો દુઃખના વ્યસન (પીડા) થી ભય પામેલા મુનિઓ જ્ઞાનરૂપી અંકુશે કરીને રાગરૂપી ગજેન્દ્રનો નિરોધ કરે છે. (રાગ ગજેન્દ્રને આવવા દેતા નથી).
सुग्गइमग्गपईवं, नाणं दिंतस्स हुआ किमदेयं । जह तं पुलिंदएणं, दिनं सिवगस्स नियगच्छिं ॥२६५॥ અર્થ—“મોક્ષરૂપી સદ્ગતિના માર્ગને પ્રકાશક પ્રદીપ સમાન જ્ઞાનનું દાન કરનાર ગુરુને શું અદેય હોય? અર્થાત્ ન આપવા જેવું શું હોય? કાંઈ જ નહીં,