________________
(૬૧) નંદિષેણની કથા
૨૪૯ બોલ્યા કે “હે સુંદર નેત્રવાળી! દશમાને પ્રતિબોઘ પમાડ્યા વિના ભોજન કરવાથી મારા નિયમનો ભંગ થાય છે, તેથી હું શી રીતે આવી શકું?” તે સાંભળી તે હાસ્યથી બોલી કે “જો આજે દશમો કોઈ બોધ પામતો ન હોય તો તેને સ્થાને તમે થાઓ.” એ પ્રમાણે વેશ્યાનું વાક્ય સાંભળીને પોતાના ભોગકર્મનો ક્ષય થયેલો જાણી તરત જ ઊભા થઈ તેણે રાખી મૂકેલો પોતાનો યતિવેષ ઘારણ કર્યો અને તે વેશ્યાને ઘર્મલાભ આપ્યો. તે વખતે વેશ્યા બોલી કે “હે સ્વામી! મેં તો હાસ્યથી કહ્યું હતું; માટે મને એકલી મૂકીને તમે કેમ જાઓ છો?” નંદિષેણે કહ્યું કે “તારે ને મારે એટલો જ સંબંધ હતો.” એમ કહીને શ્રી મહાવીર સ્વામી પાસે આવી, તેમણે ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી શુદ્ધ નિરતિચાર ચારિત્રનું પ્રતિપાલન કરી, છેવટે અનશન ગ્રહણ કરી મૃત્યુ પામીને દેવલોકે ગયા.
આ પ્રમાણે તે નંદિષેણ મુનિ દશપૂર્વધારી હતા, તેમજ દેશનાની અપૂર્વ લબ્ધિવાળા હતા; તો પણ તે નિકાચિત કર્મના ભોગ થકી મુકાયા નહીં, તો બીજાની શી વાત કરવી? માટે કર્મનો વિશ્વાસ કરવો નહીં.
कलुसीकओ अ किट्टीकओ अ, खउरीकओ मलिणिओ अ।
कम्मेहिं एस जीवो, नाऊण वि मुजई जेण ॥२४९॥ અર્થ-“આ જીવ જ્ઞાનાવરણાદિ આઠ કર્મોએ કરીને, જેમ ઘૂળથી વ્યાસ થયેલું જળ પંકિલ (કાદવવાળું) થાય છે, તેમ કલુષિત કરાયેલો છે; લોઢાને જેમ કાટ વળે તેમ કિટ્ટીકૃત-કાટવાળો કરાયો છે; જેમ મોદક ખોરો થઈ જાય (બેસ્વાદ થઈ જાય), તેમ આ જીવ પણ જુદા (જ્ઞાનાદિક રહિત) સ્વભાવને પામ્યો છે; જેમ વસ્ત્ર મેળથી મલિન થાય છે તેમ આ જીવ પણ કર્મો વડે મેલો કરાયો છે. એ પ્રમાણે આ જીવ તત્ત્વને જાણતાં છતાં પણ મોહ પામે છે, મૂઢ બને છે. (તે સર્વ નિકાચિત કર્મનો જ દોષ છે.)”
. વોદિ વારો-હિંગનો વિ પરિવુછો . - सुबहुं पि विसूरंतो, न तरइ अप्पक्खमं काउं ॥२५०॥
અર્થ–“યદુનંદન (શ્રીકૃષ્ણ) પ્રતિબુદ્ધ એટલે ક્ષાયિક સમ્યકત્વે કરીને જાગૃત છતાં પણ તથા ઘણો પશ્ચાત્તાપ કરતાં છતાં પણ વજસારની ઉપમાવાળાં (વજસાર જેવા અતિ કઠણ નિકાચિત) કર્મોને લીધે આત્મક્ષમ એટલે આત્માને હિતના કારણ એવા ક્રિયાનુષ્ઠાનાદિક કરવાને શક્તિમાન થયા નહીં, આત્મકલ્યાણ કરી શક્યા નહીં.”
वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठभावो, न विसुज्झइ कंडरीउ व्व ॥२५१॥