SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) કનકકેતુ રાજાની કથા आज्ञाभंगो नरेन्द्राणां गुरुणां मानमर्दनम् । पृथक्शय्या च नारीणा-मशस्त्रवध उच्यते ॥ “રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, ગુરુઓના માનનું મર્દન કરવું અને સ્ત્રીઓની જીદી શય્યા કરવી એ શસ્ત્ર વગરનો વધ છે.’” ૧૮૯ ભર્તારના અપમાનથી પીડિત થયેલી પોટ્ટિલા વિશેષ પ્રકારે દાન વગેરે ઘર્મકૃત્યો કરવા લાગી. એકદા તેને ઘેર એક સુવ્રતા નામના સાધ્વી આહાર માટે આવ્યા. તેની સન્મુખ જઈ, શુદ્ધ આહાર વહોરાવી હાથ જોડીને પોટ્ટિલાએ કહ્યું કે “હે ભગવતી ! એવું કાંઈક કરો કે જેથી મારો ભર્તાર માટે વશ થાય. પરોપકાર એ જ મોટું પુણ્ય છે. કહ્યું છે કે— दो पुरिसे धरइ धरा, अहवा दोहि वि धारिया धरणी । उवयारे जस्स मइ, उवयारो जं न वीसरइ ॥ બે પુરુષ ઉપર આ પૃથ્વી ઘારણ કરાયેલી છે અથવા બે પુરુષોએ આ પૃથ્વીને ધારણ કરી છે. (તે બે પુરુષ કોણ?) એક તો ઉપકાર કરવામાં જેની બુદ્ધિ વર્તે છે—ઉપકાર કરવામાં જે તત્પર છે, અને બીજો જે ઉપકારને વીસરતો નથી—કોઈએ ઉપકાર કર્યો હોય તો તે ભૂલી જતો નથી.'’ એ પ્રમાણે પોžિલાનું કહેવું સાંભળીને સુવ્રતા સાધ્વીએ કહ્યું કે “આ તું શું બોલી? ઉત્તમ સ્ત્રીએ આવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કારણ કે મંત્ર વગેરેથી પતિને વશ કરવો એ મોટો દોષ છે, અને અમે તો સર્વવિરતિ ગ્રહણ કરેલી છે, તેથી કામણ વગેરે કરવા એ અમને ઉચિત જ નથી. તું જે ભોગો ભોગવવા માટે વશીકરણ કરવા ઇચ્છે છે તે ભોગો સાંસારિક દુઃખોના કારણભૂત છે. વિષયો કિંપાર્ક ફળની પેઠે પ્રારંભમાં રમ્ય લાગે છે પણ પરિણામે અતિ દારુણ છે. લાંબો વખત તેનું સેવન કરીએ તોપણ તેનાથી તૃપ્તિ થતી નથી. તેથી આ વિષયની અભિલાષાને તજી દઈને જિનેશ્વર ભગવાને કહેલો શુદ્ધ ધર્મ આચર કે જેથી તને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય.” પોટ્ટિલાએ તે વાત કબૂલ કરી અને પોતાના ભર્તારની આજ્ઞા લઈને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ભર્તારે પણ ક્રોધરહિત થઈને કહ્યું કે “તને ધન્ય છે કે તેં આવો ઉત્તમ ધર્મ ગ્રહણ કર્યો. હવે તું દેવરૂપ થશે, માટે દેવ થઈને તારે મને પ્રતિબોધ પમાડવા માટે જરૂર આવવું.” તેણે તે કબૂલ કર્યું. તે પોટ્ટિલા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગી, અને ચિરકાળ સુધી નિર્દોષ ચારિત્ર પાળી દેવલોકમાં ઉત્પન્ન થઈ. પછી અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ જાણી પૂર્વ ભવના ભર્તારને પ્રતિબોધ કરવા તે પોટ્ટિલાદેવ મંત્રી પાસે આવ્યો. તેણે ઘણો ઉપદેશ કર્યો પણ તેતલીપુત્ર મંત્રી પ્રતિબોધ પામ્યો નહીં. તેથી દેવે વિચાર્યું કે ‘આ રાજ્યમોહથી પ્રતિબોધ
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy