________________
૧૧૬
ઉપદેશમાળા
મૃદંગના મધુર શબ્દો સહિત નાટ્યવિનોદ વગેરે નાના પ્રકારના વિષયોને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાના હાવભાવ બતાવતી કોશા કહે છે કે “હે સ્વામિન્ ! સ્વાધીન એવી કામિનીનાં કુચસ્પર્શ અને આલિંગન આદિ છોડીને આવું કઠોર તપ શા માટે કરો છો? કહ્યું છે કે—
संदष्टेऽधरपल्लवे सचकितं हस्ताग्रमाधुन्वती । मा मा मुञ्च शठेति कोपवचनैरानर्त्तितभ्रूलता ॥ सीत्काराञ्चितलोचना सरभसं यैश्चुम्बितो मानिनी । प्राप्तं तैरमृतं श्रमाय मथितो मूढैस्सुरैः सागरः ॥ ‘અઘર પલ્લવનો દંશ કરતાં ચકિત થઈને હસ્તના અગ્ર ભાગને ઘુણાવતી, અને ‘નહીં નહીં, હે શઠ! છોડી દે' એ પ્રમાણે કોપવચન બોલવા સાથે ભૂલતાને નચાવતી તથા સીત્કારથી સત્કાર કરાયેલાં જેનાં નેત્ર છે અર્થાત્ બહારથી સીસકારા કરતી પણ મનથી ખુશી વ્યક્ત કરતા નેત્રવાળી એવી માનિનીને જુસ્સાથી (આવેગથી) જેણે ચુંબન કરેલું છે તેઓએ ખરું અમૃત મેળવ્યું છે એમ હું માનું છું. બાકી મૂઢ દેવતાઓએ તો ફોગટ શ્રમને માટે જ સમુદ્ર મથેલો છે.' તેથી હે સ્થૂલિભદ્ર! આ ત્યાગનો (સાધનાનો) સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવી તેનો સ્વાદ લો. ફરીથી આ મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, અને આ યૌવન પણ દુર્લભ છે. માટે હે સ્વામિન્! હમણાં તો મારા અંગસંગથી ઉત્પન્ન થયેલું સુખ ભોગવો. પાછળથી વૃદ્ધાવસ્થામાં તપ કરવું ઉચિત છે.”
તે સાંભળી સ્થૂલિભદ્ર બોલ્યા કે “હે ભદ્રે ! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરને આલિંગન કરવા કોણ ઇચ્છે ? કહ્યું છે કે—
स्तनौ मांसग्रंथी कनककलशावित्युपमितौ ।
रूपं कविजनविशेषैर्गुरुकृतम् ।
मुखं श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् ॥ स्रवन्मूत्रक्लिन्नं करिवरशिरःस्पर्द्धिजघनं । मुहुर्निद्यं સ્તનો માંસની ગાંઠ છે છતાં કવિજનોએ તેને સોનાના કળશની ઉપમા આપી છે, મુખ શ્લેષ્મનું (કફનું) સ્થાન છે તોપણ કવિઓએ તેની ચંદ્ર સાથે સરખામણી કરી છે અને સ્રવતા મૂત્રથી વ્યાસ એવા જધનને હાથીના ગંડસ્થલની સાથે સરખાવ્યું છે. એ પ્રમાણે વારંવાર નિંદવા લાયક સ્ત્રીના રૂપને કવિઓએ જ વિશેષ મહત્વતા આપી છે.’ વળી— .
वरं ज्वलदयस्तम्भः परिरम्भो विधीयते । न पुनर्नरकद्वार - रामाजघनसेवनम् ॥
‘તપાવેલા લોઢાના થાંભલાને આલિંગન કરવું એ સારું છે, પરંતુ નરકના