________________
પહેલું વ્રત
અવતરણિકા :
હવે ચારિત્ર વિષયક પ્રથમ અણુવ્રતના અતિચારનું પ્રતિક્રમણ કરતાં કહે છે –
ગાથા :
पढमे अणुव्वयम्मी, थूलग-पाणाइवाय-विरईओ ।
મારિયમપ્રસન્થ, સ્થ પમાયપvi It. અન્વય સહિત સંસ્કૃત છાયા :
प्रथमे अणुव्रते, स्थूलक-प्राणातिपात-विरतितः ।
प्रमादप्रसङ्गेन, अप्रशस्ते अत्र अतिचरितम् ॥१॥ ગાથાર્થ :
પ્રથમ અણુવ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાતની કરેલી વિરતિથી પ્રમાદને કારણે અપ્રશસ્તભાવમાં વર્તતાં આ વ્રતના વિષયમાં (દિવસ દરમ્યાન) જે કાંઈ વિપરીત આચર્યું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.)