SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના સંબંધિ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. સા. નો અભિપ્રાય નારાયણધામ, વિ. સં. ૨૦૫૭, પો. વ. ૪ વિનયાદિગુણોપેતા સા. શ્રી પ્રશમિતાશ્રીજી યોગ જિજ્ઞાએ પૂર્વે રૂબરૂ વાત કરેલ, તે પછી ‘સૂત્ર સંવેદના' લખાણ વાંચવા મોકલેલ. તે વિહાર દરમ્યાન આખું વાંચી લીધું. ખરેખર કહું વાંચવાથી મારા આત્માને તો જરૂર ખૂબ આનંદ આવ્યો. એવો આનંદ અને તે વખતે પેદા થયેલી સંવેદનાઓ જો કાયમી બને, ક્રિયા વખતે સતત હાજર રહે તો જરૂર ક્રિયા-અનુષ્ઠાન ભાવાનુષ્ઠાન બન્યા વિના ન રહે. ખૂબ સારી મહેનત કરી છે. આવી સંવેદના પાંચે પ્રતિક્રમણમાં ઉપયોગી બધા જ સૂત્રોની તૈયાર થાય તો યોગ્ય જીવો માટે જરૂર ખૂબ લાભદાયી બને. મેં જિજ્ઞાને પ્રેરણા કરી છે. આમાં મૂળ તમે છો - તો તમને પણ જણાવું છું. મારી દૃષ્ટિએ આ સૂત્ર સંવેદના દરેક સાધુ/સાધ્વીઓ - ખાસ કરીને નવાએ ખાસ વાંચવી જોઈએ. રત્નત્રયીની આરાધનામાં અવિરત ઉજમાળ બનો એ જ એક શુભાભિલાષા. - - લિ. હેમભૂષણ સૂ. ની અનુવંદનાદિ n
SR No.005837
Book TitleSutra Samvedana Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy