SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુ′′રવરદી સૂત્ર એક એક શબ્દોનું ઊંડુ ચિંતન, મનન કરે છે, તેનાથી પ્રાપ્ત થયેલા ભાવોથી આત્માને ભાવિત કરે છે, તેમ તેમ આત્મા ઉપરથી અજ્ઞાનનાં આવરણો ખસે છે અને સમ્યગ્ જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. આ પ્રકાશમાં આત્મા જીવ-અજીવ આદિ તત્ત્વોને સમ્યક્ પ્રકારે જાણી શકે છે. ૨૫૯ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં સાધકની ભૌતિક સુખની ઇચ્છાઓ મોળી પડે છે અને આત્મિક સુખ મેળવવાની ઇચ્છાઓ તીવ્ર તીવ્રતર થતી જાય છે. કષાયોની માત્રા ઘટતી જાય છે અને ઉપશમ ભાવનો આનંદ વધતો જાય છે. અજ્ઞાનની સાથે સંકળાયેલા ઇર્ષ્યા, અસંતોષ, અસહિષ્ણુતા આદિ નકારાત્મક વૃત્તિઓ વિલિન થતી જાય છે અને સંતોષ, સહનશીલતા આદિ સુખદ સદ્ગુણો પ્રગટે છે. જિજ્ઞાસા : શ્રુતજ્ઞાન જો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે, તો શ્રુતજ્ઞાની એવા પૂર્વધર મહાપુરુષો પણ દુર્ગતિમાં ગયા એવા દાખલાઓ શાસ્ત્રમાં કેવી રીતે સાંભળવા મળે છે ? તૃપ્તિ : પૂર્વધર મહાપુરુષો દુર્ગતિમાં ગયા તેમાં કારણ શ્રુતજ્ઞાન નથી; પરંતુ શાસ્ત્રાભ્યાસ પૂર્વે બાંધેલા અશુભ કર્મના અનુબંધો છે. કેમકે, ચૌદ પૂર્વનો અભ્યાસ કરનારા મહાત્માઓ નિયમા સમ્યષ્ટિ હોય છે. પ૨મ વિવેક સંપન્ન હોય છે. આમ છતાં પૂર્વના બાંધેલા અશુભકર્મના અનુબંધો? જ્યારે ઉદયમાં આવે છે ત્યારે નબળા નિમિત્તોથી પણ તે મહાત્માઓના પાત થાય છે. તેઓ પ્રમાદને પરવશ બને છે. સ્વાધ્યાયનો રસ ઘટે છે. રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવને આધીન બની મળેલા સદ્ગુણો ગુમાવી બેસે છે. આમ છતાં શ્રુતજ્ઞાનથી પડેલા શુભ સંસ્કારો નાશ નથી પામતા. અવસર આવે 2. ' तथा एतस्य अशुभानुबन्धस्य प्रभावेण अप्रतिहतशक्तिकत्वेन' बहवः अनन्तसंसारिणः प्राप्तदर्शनाश्चतुर्दशपूर्वधरादयोऽपि इति दृश्यम् श्रुयते हि प्राप्त दर्शनादीनामपि प्रतिपतितानां पुनस्तद्गुणलाभव्यबधानेऽनन्तः कालः समये । तदुक्तं कालमणंतं च सुए अद्धापरिअट्टओ अ देसूणो । ઞાસાયળવદુલ્હાનું વો અન્તર દોડ્।। [આવ. નિ (૩)] स चाशुभानुबन्धमाहात्म्यं विना नोपपद्यते । न ह्यवश्य वेद्यमशुभानुबन्धमन्तरेण प्रकृतगुणभंगे पुनर्लब्धौ कियत्कालव्यवधाने कश्चिदन्यो हेतुरस्ति, ग्रन्थिभेदात् प्रागप्यसकृदनन्त સંસારાર્નનેડચેવ હેતુત્વાત્ । તવાદ - [ઉપવેશપર ૨૮૬] गठिओ आरओ विहु असईबन्धो ण अण्णहा होइ । ता एसो वि हु एवं ओ असुहाणुबंधो । त्ति ।। ।।६२।। - ઉપદેશ રહસ્ય ગાથા ૭૨ ટીકા
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy