SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સૂત્રસંવેદના-૨ ધર્મને પ્રાપ્ત કરી, ક્રમિક વિકાસ કરતો સાધક વીતરાગ બની વિદેહ અવસ્થા (મોક્ષ) પ્રાપ્ત કરી શકે છે. આથી જ અહીં પ્રભુના ચરણકમળને મનોવાંછિત ફળ આપનારા કહ્યાં છે. આ ગાથા બોલતાં સાધક દેવેન્દ્ર આદિથી પૂજાતાં પ્રભુના ચરણકમળને સ્મૃતિપટ પર સ્થાપિત કરી તેને અત્યંત ભાવથી નમસ્કાર કરતાં વિચારે કે, “આ પ્રભુના ચરણોની સેવા કેવી સુંદર છે. જેઓ, ભાવથી તેને સેવે છે તેને ઇચ્છાનું દુ:ખ ઉઠતું જ નથી અને કેદાચ કર્મવશ કોઈ ઇચ્છા જાગે તો પૂર્ણ થયા વિના રહેતી નથી હું પણ આ ચરણોની ઉપાસના કરી મારા આત્મિક સુખની ઇચ્છા પૂર્ણ કર્યું.” ચોવીસ ભગવાનની સ્તુતિ કરી. હવે ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતાં કહે છે – વાંધાધું, સુપ-પલવી-નીર-પૂરમરા - બોધથી ઊંડો', સારાપદોની રચનારૂપ પાણીના પૂરથી મનોહર. (એવા વીર પ્રભુના આગમરૂપ સમુદ્રને હું એવું છું.) - વિરપ્રભુનું આગમ એક સાગર જેવું છે. ઊંડા સાગરના તળ સુધી પહોંચવું સામાન્ય જીવો માટે મુશ્કેલ હોય છે. માત્ર કોઈક મરજીવા જ ત્યાં સુધી પહોચી શકે છે, તેમ આગમના એક-એક પદો અનંતા અર્થથી ભરેલા હોય છે. સામાન્ય માણસ તેના તાગને પામી શકતો નથી કારણ કે શાસ્ત્રના એક વચનને પણ યથાર્થરૂપે સમજવું તેના ઊંડાણ સુધી પહોંચવું અતિ મુશ્કેલ હોય છે. મરજીવા જેવા કોઈક મહાબુદ્ધિ સંપન્ન વ્યકિત જ તેના રહસ્ય સુધી પહોંચી શકે છે. આથી જ કહ્યું છે કે જિનાગમ સમુદ્રની જેમ બોધથી ઊંડો છે - અગાધ છે. 6. આ ગાથામાં ‘સેવે' ક્રિયાપદ છે અને વીરામ-નનિધેિ તેનું કર્મ છે અને (૨) વોથા Tધ (૨) સુપદ્-પદ્રવી-નીર-પૂરખરામ (३) जीवाहिंसाविरल-लहरी-संगमागाहदेहं (૪) ચૂા-વેન્ટ્સ (૫) પુરુમ-મuી સંજુ (૬) દૂરપાર (૭) સાર, એ પદો વીરામ-નનિધિ નાં વિશેષણો છે. 7. વોય એટલે જ્ઞાન. તેના વડે કરીને જે મધ-ઊંડું છે તે વાંધા Tધ આ પદ વીરા TH-નનિધિ નું વિશેષણ હોવાથી દ્વિતીયા વિભક્તિથી યોજાયેલું છે. 8. સુષુ-પદ-સારું પદ તે સુપ. તેની પદવી એટલે યોગ્ય ગોઠવણ તે સુ-પવી. તે રૂપી નીરના પૂર એટલે સમૂહ વડે પરામ=મનોહર, તે સુપર-પદવી-નીર-પૂરામરામ - આ પદ પણ વિરપ્રભુના આગમરૂપ સમુદ્રનું વિશેષણ છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy