________________
૧૮૪
સૂત્રસંવેદના-૨
છે. તેમના એક એક વચનને તીવ્ર જિજ્ઞાસા સાથે સાંભળે છે, સાંભળીને તે રીતે જીવન જીવવા યત્ન પણ કરે છે, પરંતુ હજુ એવી શક્તિ નથી આવી કે, તેમના વચન પ્રમાણે પૂર્ણ જીવન જીવી શકે ! તેથી તદ્ વચન સેવનાની પુનઃ પુનઃ પરમાત્મા પાસે માંગણી કરે છે. આવા આત્માને થયેલો સુગુરુનો યોગ તે યોગાવંચક-યોગ કહેવાય છે.
સુગુરુ સાથેના આવા યોગને સાધવા ભવનો રાગ ઘટાડવો પડે છે. માનાદિ કષાયોની માત્રા મંદ કરવી પડે છે. મનને સમજાવવું પડે છે કે, આ જ મારે સર્વસ્વ છે, આ જ મને સન્માર્ગ પ્રાપ્ત કરાવનાર છે. હું તો અજ્ઞાની અને અબુધ છું, આ ગુણવાન વ્યક્તિની અનુકૂળતા તે જ મારી અનુકૂળતા છે, તેમની પ્રસન્નતા તે જ મારી પ્રસન્નતા છે, તેમનો સંતોષ તે જ મારો સંતોષ છે, આવું થાય તો સુગુરુનો યોગ સફળ થાય.
પાપોદયના કારણે મોટા ભાગે જીવને સુગુરુની પ્રાપ્તિ જ થતી નથી. અને પુણ્યોદયથી ક્યારેક સુગુરુની પ્રાપ્તિ થાય ત્યારે પણ વિષયોની આસક્તિ, માનાદિ કષાયોની પ્રબળતા આવા ગુરુ સાથે સુયોગ થવા દેતી નથી. શરીરથી તેમની સાથે રહેવા છતાં તેમના પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણનો ભાવ પ્રગટાવવા દેતી નથી. મુમુક્ષુ આત્મા સમજે છે કે, આ વસ્તુ પોતાના સામર્થ્યથી થઈ શકે તેમ નથી. તેથી જ તે આ પદ બોલી પ્રભુને પ્રાર્થના કરે છે કે,
“હે વીતરાગ / અનાદિ સંસારમાં ખંડતા ગુરુ તો ઘણીવાર મળ્યા પરંતુ મુગુરુ આજ સુધી મળ્યા નથી અને યુયોદયથી ક્યારેક મળ્યા તો કષાયોના કારણે તેમની સાથે સુયોગ્ય સંબંધ બાંધી શકયો નથી, માટે જ આજ સુધી મારું કલ્યાણ નથી થયું. હે નાથ ! આપને વિનતી કરું છું. આપના પ્રભાવથી મને સુગુરુજી પ્રાપ્તિ થાય. મારા માનાદિ કષાયો મંદ થાય અને તેમના પ્રત્યે મારું નમ્રતાભર્યું વિજયસભર વર્તન થાય. તેમના પ્રત્યેનો મારો શ્રદ્ધા અને
સમર્પાનો ભાવ દિન-પ્રતિદિન વૃદ્ધિમાન થાય !” હૃદયના ભાવથી કરાતી આ માંગણી તેવા પ્રકારના કર્મનોં હ્રાસ કરાવી, આત્માને લઘુકર્મી બનાવી, છેક તીર્થકર જેવા ગુરુની સાથે સુયોગ કરાવે છે. આવા સુગુરુના સુયોગથી અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ભૂલોનું ભાન થાય છે, અહંકારનો નાશ થાય છે અને સુંદર જીવનની પ્રેરણાઓ સતત મળ્યા કરે છે.