________________
૧૬૦
સૂત્રસંવેદના-૨
‘પાસ’ (પા) એટલે કર્મબન્ધ. તેને જીતનારા તે પાસનળ' એટલે સુવિહિત સાધુઓ, તેમના પ્રત્યે ચન્દ્ર જેવા તે ‘પાસનળવંદ' એટલે સુવિહિત સાધુઓ પ્રત્યે ચન્દ્રની જેમ ઉપસર્ગોના તાપને દૂર કરવા વડે આલાદક અથવા તો પાશથી એટલે તે નામના આયુધથી જય પામનારી અર્થાત્ શત્રુઓને વશ કરનારી તે ‘પના ' એટલે પદ્માવતી. પોતે તેના પતિ હોવાથી તેને આલાદ આપનાર તે ‘પાનિઘંદ્ર' એટલે ધરણેન્દ્ર !34
ધરણેન્દ્ર પક્ષમાં પાંચમી ગાથાનો અર્થ આ રીતે થાય છે - , -
મહાયશસ્વી (શ્રી પાર્શ્વનાથ)ની ભક્તિના સમૂહથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા ! નાગોના રાજા ! સુવિહિત સાધુઓ માટે ચન્દ્ર સમાન ! યા તો પદ્માવતીને આહ્વાદ આપનાર ! ભવનપતીન્દ્ર (શ્રીધરણેન્દ્ર !) આ રીતે તમે સ્તવાયા છો તેથી ભવોભવ મને બોધિ આપો.
આ પ્રમાણે પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં પાંચ ગાથાના જુદા જુદા જે અર્થો થાય છે તે દર્શાવવામાં આવ્યા. આ અર્થો દ્વારા આ રચના કેટલી વિશિષ્ટ છે તેની કાંઈક ઝાંખી થઈ શકે છે. બાકી તો આ સ્તોત્રની સંપૂર્ણ રચનાના અર્થ પણ અચિન્ય છે અને તેનું સામર્થ્ય પણ અચિજ્ય છે.
34. पाशं कर्मबन्धं जयतीत्यचि पूर्ववत् णे च, पासजिणा-पाशजेतारः सुविहितसाधवस्तान् प्रति
चन्द्र इवोपसर्गतापनिर्वापणेनाह्लादकत्वात् तस्यामन्त्रणं हे पासजिणचंद ! यदि वा पाशेन जयति शत्रून् - वशं नयति इति प्राकृते पासजिणा-पद्मावती तां चन्दति-आह्लादयति भर्तृत्वात् ર લેવી તસ્ય સમ્ફોધનમ્ ! અ. ક. લ. પૃ. ૨૩.