SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સૂત્રસંવેદના-૨ અપુનરાવૃત્તિ - સંસારમાં તેનાં તે સ્થાનોમાં પુનઃ પુનઃ જીવ પરિભ્રમણ કર્યા કરે છે. મોક્ષમાં ગયેલા જીવોને પુનઃ સંસારમાં આવવાનું નથી, પુનઃ જન્મ લેવાનો નથી, ત્યાં જ અનંત અનંતકાળ સુધી સ્વગુણમાં જ રમણતા કરવાની છે. માટે સિદ્ધિગતિ અપુનરાવૃત્તિ ગુણયુક્ત છે. આવા સિદ્ધિગતિ નામના સ્થાનને પરમાત્માએ પ્રાપ્ત કરેલ છે. આ પદો બોલતાં દુઃખભર્યા સંસારથી તદ્દન વિરોધી મહાસુખના સ્થાનભૂત મોક્ષ અને ત્યાં રહેલા મહાસુખમાં મહાલતા પરમાત્માને નજર સમક્ષ લાવી તેમને પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે - “હે નાથ ! આપને કરેલો આ નમસ્કાર અમોને શીધ્ર આવા ગુણોના સ્થાનભૂત સિદ્ધિગતિને પ્રાપ્ત કરાવો. !” નમો નિVIN નિમિયા - ભયોને જેમણે જીત્યા છે, તેવા જિનોને મારો નમસ્કાર થાઓ. જન્મ-મરણ અને સંયોગ-વિયોગથી સર્જાયેલા આ સંસારમાં કોઈ સ્થાન એવું નથી, કે જ્યાં ભય ન હોય ! દેવલોકમાં જન્મ થયો અને મહાસુખની પ્રાપ્તિ થઈ ત્યાં પણ મૃત્યુનો ભય હોય છે. સારામાં સારી વ્યક્તિનો સંયોગ થયો, ખૂબ આનંદ થયો; પરંતુ ત્યાં પણ વિયોગનું દુઃખ તો નિશ્ચિત હોય છે. સંસારમાં ચોમેર દૃષ્ટિપાત કરીએ તો જણાય કે – સંસાર આખો ભયથી ભરેલો છે, કોઈ સ્થાન એવું નથી, જ્યાં સાત ભયોમાંનો એક પણ ભય ન હોય. ભગવાને આ સારાય સંસારને અલવિદા આપી પરમ આનંદદાયક મોક્ષને પ્રાપ્ત કર્યો છે, તેથી હવે તેમને મરણનો, વિયોગનો કે અન્ય કોઈ પણ પ્રકારનો ભય નથી, કેમ કે, ભયનું મૂળ કારણ છે કર્મસંયોગવાળો સંસાર, અને ભગવાન તેનાથી જ મુક્ત થયા છે, આથી તેઓ ભયમુક્ત છે. વળી, રાગ-દ્વેષને જીતેલા હોવાથી તે જિન છે. રાગાદિના વિજેતા અને ભયમુક્ત ભગવાનને મારો નમસ્કાર થાઓ. આ પદ બોલતાં સાધક વિચારે કે, આ સંસારમાં રહેલા લગભગ સર્વે જીવો ભયથી વિહવળ થઈને આમતેમ ભટકે છે એક સારા પ્રભુ જ સર્વથા ભયથી મુક્ત હોઈ સ્વસ્થ અને સ્થિર છે. અભયભાવમાં રહેલા છે
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy