SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwww ઉરમાં ઊઠતી ઉપકારોની સ્મૃતિ સભર ઉર્મીઓઆજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ અને બેચેની નજરે ચઢે છે. સુખ અને શાંતિ તો જાણે દુર્લભ બની ગઈ છે... ત્યારે એક ચહેરો-એક જીવન સતત યાદ આવ્યા કરે છે. અંતરંગ સ્વસ્થતા અને સમાધિના પ્રભાવે એ ચહેરા ઉપર સદા પ્રસન્નતાનો પમરાટ પથરાયેલો રહેતો. તેઓશ્રી કદાચ કાંઈ ના બોલે, કાંઈ ના સૂચવે તોપણ એમનો ચહેરો જોતાં જ અનેકને આત્મિક શાંતિની અનુભૂતિ થતી. એ ચહેરાને જોતાં જ વિચારકને થતું કે, ચોક્કસ ! આ સાધકે આત્મિક શાંતિપૂર્વક જીવન જીવવાની કળાને આત્મસાતું કરી છે, વિધ્વજયની સાધના દ્વારા સિદ્ધિને હાંસલ કરી છે. એ ચહેરો હતો મારા પરમોપકારી ગુરુદેવ ગુરુવ પરમવિદૂષી પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજનો - ‘સૂત્ર સંવેદના' રૂપી શ્રુતગંગાની ગંગોત્રીનો... અમે સૌ તેમની નિશ્રાને પામી સંયમના પંથે ચાલી રહેલા તેમના ૨૦૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાઓ, તેમને માનથી “મહારાજજી' કહેતા. સંયમ પંથે ચાલવા ડગમગી રહેલા અમારા હૃદયસામ્રાજ્યના તેઓશ્રી સ્વામિની હતા. એક સમર્પિત સૈનિકરૂપે તેમણે સંયમજીવન જીવવાની શરૂઆત કરી હતી.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy