________________
wwwwww
ઉરમાં ઊઠતી ઉપકારોની સ્મૃતિ સભર ઉર્મીઓઆજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ અને બેચેની નજરે ચઢે છે. સુખ અને શાંતિ
તો જાણે દુર્લભ બની ગઈ છે... ત્યારે એક ચહેરો-એક જીવન સતત યાદ આવ્યા કરે છે. અંતરંગ સ્વસ્થતા અને સમાધિના પ્રભાવે એ ચહેરા ઉપર સદા પ્રસન્નતાનો પમરાટ પથરાયેલો રહેતો. તેઓશ્રી કદાચ કાંઈ ના બોલે,
કાંઈ ના સૂચવે તોપણ એમનો ચહેરો જોતાં જ અનેકને આત્મિક શાંતિની અનુભૂતિ થતી. એ ચહેરાને જોતાં જ
વિચારકને થતું કે, ચોક્કસ ! આ સાધકે આત્મિક શાંતિપૂર્વક જીવન જીવવાની કળાને આત્મસાતું કરી છે, વિધ્વજયની સાધના દ્વારા સિદ્ધિને હાંસલ કરી છે.
એ ચહેરો હતો મારા પરમોપકારી ગુરુદેવ ગુરુવ પરમવિદૂષી પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજનો - ‘સૂત્ર સંવેદના' રૂપી શ્રુતગંગાની ગંગોત્રીનો...
અમે સૌ તેમની નિશ્રાને પામી સંયમના પંથે ચાલી રહેલા તેમના ૨૦૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાઓ, તેમને માનથી “મહારાજજી' કહેતા. સંયમ પંથે ચાલવા ડગમગી રહેલા અમારા હૃદયસામ્રાજ્યના તેઓશ્રી સ્વામિની હતા.
એક સમર્પિત સૈનિકરૂપે તેમણે સંયમજીવન જીવવાની શરૂઆત કરી હતી.