________________
ન્યાયદાન
૫૩
હોવા છતાં તે શબ્દના અભિધેયાર્થીને રહી વકતાના વચનને તેડવું તે ઉપચારછલ છે બે રથો લડે છે એમ જ્યારે વક્તા કહે છે ત્યારે તે “રથ શબ્દને થમાં બેઠેલ” અર્થમાં (=લક્ષ્યાર્થમાં) પ્રયોજે છે. પરંતુ પ્રતિવાદી તે રથનો અન્ય અર્થ (અભિધેયાર્થ) કલ્પ છે; તેનો અભિધેયાર્થ છે “અચેતન એક જાતનું વાહન”. આવો અર્થ કલ્પી તે વાદીના વચનનું ખંડન કરતાં કહે છે, અરે ભાઈ, રથો તે નિર્જીવ પદાર્થો છે, જડ છે. તેઓ પરસ્પર યુદ્ધ કેવી રીતે કરે છે તેથી તમારી વાત તદ્દન અસત્ય છે.
જાતિ ઉદાહરણના સાધ્ય સાથેના સાધમ્ય કે વૈધમ્ય દ્વારા સાધ્યની અસિદ્ધિ (=અનુપપત્તિ) દર્શાવવી તે જાતિ છે.૧૦ વાદી ઉદાહરણ સાધમ્મ દ્વારા સાધ્યની ઉપપત્તિ દર્શાવે છે, તો તે જ વખતે પ્રતિવાદી ઉદાહરણધણ્ય દ્વારા સાધ્યની અનપપત્તિ દર્શાવે છે. તેવી જ રીતે, વાદી જે ઉદાહરણધમ્ય દ્વારા સાધ્યની સિદ્ધિ કરે છે, તે તે જ વખતે પ્રતિવાદી ઉદાહરણસાધમ્ય દ્વારા સાધ્યની . અસિદ્ધિ દર્શાવે છે. આને જાતિ કહે છે. જાતિના ચોવીસ પ્રકાર છે–સાધમ્ય સમ, ધર્મેસમ, ઉકસમ, અપકર્ષ સમ, વણ્યસમ, અવર્ણસમ, વિકલ્પસમ, સાધ્યમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગમ, પ્રતિદષ્ટાન્તસમ, અનુત્પત્તિસમ, સંશયસમ, પ્રકરણસમ, અહેતુસમ, અર્થપત્તિસમ, અવિશેષસમ, ઉપપત્તિસમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ અને કાર્યસમ.૧૧
(૧) સાધમ્પસમકા હેવાથી ઘટની જેમ શબ્દ અનિત્ય છે. આવું અનુમાન વાદી પ્રસ્તુત કરે છે. પ્રતિવાદીને જાત્યુત્તર એ છે કે અમૂર્ત હોવાથી આકાશની જેમ શબ્દ નિત્ય છે. અર્થાત, જેમ તમે ઘટમાં રહેનાર કૃતકત્વધર્મ શબ્દમાં પણ રહેતો હોવાથી શબ્દનું અનિત્યત્વ સિદ્ધ કરો છે તેમ અમે આકાશમાં રહેનાર અમૂર્ત વધર્મ શબ્દમાં પણ રહેતો હોવાથી શબ્દનું નિત્યત્વ સિદ્ધ કરીએ છીએ. પ્રતિવાદી એમ કહેવા માગે છે કે ઘટમાં કૃતકત્વધર્મ છે અને શબ્દમાં પણ કૃતકત્વધર્મ છે એટલે તમે સાધમ્મ ઉપરથી એવું તારણ કાઢો છો કે ઘટગત અન્ય ધર્મ અનિત્યત્વ પણ શબ્દમાં હોવો જોઈએ; પરંતુ અમે કહીએ છીએ કે આકાશમાં અમૂર્ત વધર્મ છે અને શબ્દમાં પણ અમૂર્તવ- . ધર્મ છે એટલે અમે તમારી જેમ જ તારણ કાઢીએ છીએ કે આકાશગત અન્ય ધમ નિયત્વ પણ શબ્દમાં હેવો જોઈએ. અહીં પ્રતિવાદી વ્યાપ્તિની ઉપેક્ષા ૫. ૩૮