SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ પ્રદર્શન ગ્રતાપૂર્વક પિતાના મતનું જે સમર્થન કરી શકે અને સમીચીન રીતે કામ નિર્ણય ઉપર પહોંચવાની જે ઈચ્છા ધરાવતો હોય તે જ શાસ્ત્રાર્થને અધિકારી છે શાસ્ત્રાર્થ કશ્વાની પરિપાટી બહુ જ પ્રાચીન કાળથી ચાલી આવે છે તામિકેની શાસ્ત્રાર્થ પ્રણાલી શૃંખલાબદ્ધ અને વ્યવસ્થિત હોય છે. અહી ન્યાયસમ્મત શાસ્ત્રાર્થવિધિને સામાન્ય પરિચય કરી લઈએ, શાસ્ત્રાર્થ માટે વિદ્વાનની પરિઘ (સભા) મળે છે. એમાં મોટે ભાગે દર્શક જનતા પણ ઉપસ્થિત રહે છે. સભામાં જે સૌથી ઉત્કૃષ્ટ વ્યકિત હોય (રાજા યા મહાપંડિત) તેને નેતા (=સભાપતિ) બનાવવામાં આવે છે. જય-પરા જ્યનો નિર્ણય કરવા માટે જે સૌથી વધુ અધિકારી વિદ્વાન હોય તેને મધ્યસ્થ ( વિચાક) તરીકે ચૂંટી કાઢવામાં આવે છે. વિચારકેની સંખ્યા એકથી વધુ પણ હોઈ શકે. એમનું માધ્યચ્ચે વાદી અને પ્રતિવાદી બંનેને સ્વીકારવું પડે છે. કેટલીક વાર હારજીતનો નિર્ણય કરવાનું સમગ્ર સભા (પરિષ૬) પર છોડવામાં આવે છે. વાદી અને પ્રતિવાદી સામસામે બેસે છે. વાદી આરંભ કરે છે. આ આરંભને કથામુખ” યા “ઉપન્યાસ કહેવામાં આવે છે. વાદી પોતાની પ્રતિજ્ઞા (સાધ્ય) ઘેષિત કરી પ્રમાણ દ્વારા તેનું મંડન (સમર્થન) કરે છે. પછી પિતાના પક્ષમાં જે જે સંભવિત શંકાઓ થઈ શકે તે બધી શંકાઓનું સમા ધાન કરે છે. આ રીતે તે પોતાનો પક્ષ સ્થાપે છે. આને “પૂર્વપક્ષ' કહે છે. હવે પ્રતિવાદીને વારે આવે છે. તે પહેલાં તે વાદી જેનું પ્રતિપાદન કર્યું તે પક્ષનું પુનરુચ્ચારણ કરે છે. આને “અનુવાદ કહેવામાં આવે છે. આમ કરવાનું પ્રયોજન એ છે કે સભાસ્થિત જનતાને ખાતરી થાય કે પ્રતિવાદી પૂર્વપક્ષને ઠીક સમજે છે. અનુવાદ પછી પ્રતિવાદી ખંડન શરૂ કરે છે. તે પૂર્વપક્ષમાં દોષો દેખાડે છે અને એવી રીતે તેને અસિદ્ધ અને દૂષિત પુરવાર કરી પ્રતિપક્ષની સ્થાપના કરે છે. આને ઉત્તરપક્ષ કહેવામાં આવે છે. હવે ફરી વાદીને વારે આવે છે. એણે પ્રતિપક્ષીએ કરેલા દોષારોપણને બરાબર સમજી લીધું છે. આ દર્શાવવા માટે સૌ પ્રથમ તે પ્રતિપક્ષને અનુવાદ કરે છે. પછી પ્રતિપક્ષે દર્શાવેલા દોષેનું કમશઃ નિરાકરણ કરે છે અને પિતાના પક્ષનો ઉદ્ધાર કરે છે. આને કંટકોદ્ધાર કહેવામાં આવે છે. છેવટે તે પ્રતિપક્ષનું ખંડન કરે છે.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy