SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયન ૫૭૫ બ્રાન્ત રજતજ્ઞાનમાં ભાસે છે. શક્તિ પણ સત છે અને રજત પણ સત્ છે. બ્રમમાં આ દેશકાળનીત (શુકિત) વસ્તુની જગ્યાએ અન્ય દેશ-કાળની અન્ય સત્ વસ્તુ(જત)નું પ્રત્યક્ષ થાય છે. આમ થવાનું કારણ શું ? બે વસ્તુઓ વચ્ચેનું સાદશ્ય. રજતસદશા શુક્તિનું દર્શન થતાં રજત સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે અને તેનું પ્રત્યક્ષ થાય છે. રજતસ્કૃતિસતત ચક્ષુ-શકિતસનિકર્ષથી શુતિમાં જતનું પ્રત્યક્ષ થાય છે.૨૫ ઉત્તરકાલીન યાયિકે કહે છે કે ચક્ષુ-મુક્તિને સનિક થતાં જ્ઞાનલક્ષણ અલૌકિક સક્નિકર્ષથી પૂર્વાનુભૂત રજાનું પ્રત્યક્ષ થાય છે. - નૌયાયિક મતે શુકિત સાથે ચક્ષુરિદ્િધને સંગસંબંધરૂપ સનિક થાય છે. તેથી અન્યત્ર પૂર્વદષ્ટ રજતના સદશ્યનું દર્શન થાય છે. આ સાદશ્યદર્શનથી પૂર્વદષ્ટ રજતના સંસ્કારો જાગે છે. તે સંસ્કારો જાગતાં પૂર્વદષ્ટ જતનું સ્મરણ થાય છે. તે સ્મરણ થતાં શુકિતમાં અન્યત્ર પૂર્વાદષ્ટ રજતનું યાં રજતત્વનું ભ્રમપ્રત્યક્ષ જન્મે છે. પરંતુ જે વ્યકિતએ પૂર્વે કદીય રજત દેખી જ નથી તેને રજાના સંસ્કાર હેય નહિ અને પરિણામે તેને શુતિમાં ભ્રમરૂપ રજતજ્ઞાન થાય નહિ. આમ પૂર્વાનુભૂત રજતના સંસ્કારથી જ રજતનું સ્મરણ થાય છે અને આ સ્મરણ જ શુક્તિમાં રજતજ્ઞાનરૂપ બ્રમપ્રત્યક્ષનું ચરમ કારણ છે. ઉત્તરકાલીન ૌયાયિકે ભ્રમપ્રત્યક્ષમાં ઉતરૂપ સ્મરણાત્મક જ્ઞાનને જ જ્ઞાનલક્ષણ અલૌકિક સનિક ગણે છે. તે સન્નિકર્ષથી શુતિદ્રવ્યમાં રજતવ યા રજતના જ્ઞાનરૂપ બ્રમપ્રત્યક્ષ જન્મે છે, તે પ્રત્યક્ષને તેઓ અલૌકિક પ્રત્યક્ષ ગણે છે.' ' નૌયાયિકોને માટે એ સ્વાભાવિક છે કે તેઓ વિપરીત ખ્યાતિ માને કારણ કે તેમના મત અનુસાર કંથાર્થ અને અયથાર્થ બંને પ્રકારનાં જ્ઞાન શક્ય છે. પરંતુ જેઓ જ્ઞાનના સ્વતઃ પ્રામાણ્યની રક્ષા કાજે જ્ઞાનમાત્રને યથાર્થ જ માને છે તેઓ તે વિપરીત ખ્યાતિ સ્વીકારી જ ન શકે. નૌયાયિકોને મતે જ્ઞાનનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય સ્વતઃ નથી પર તુ પરતઃ જ છે. એટલે તેઓ યથાર્થ અને અયથાર્થ બંને પ્રકારના જ્ઞાનો સ્વીકારી શકે છે. પરિણામે તેઓ વિપરીત ખ્યાતિ માની શકે છે. પૂત ખ્યાતિઓથી વિપરીત ખ્યાતિનું વૈલક્ષણ્ય સ્પષ્ટ છે. પ્રભાકરની જેમ બે જ્ઞાન નહિ પરંતુ એક જ જ્ઞાન માનીને વિપરીત ખ્યાતિવાદી તૌયાયિકે ભ્રમજ્ઞાનનો ખુલાસો કરે છે. વિપરીત ખ્યાતિવાદ અનુસાર બાહ્ય વસ્તુઓ સર્વથા જ્ઞાનરૂપ યા શુન્યરૂપ યા સર્વત્ર સરૂપ નથી, તેથી આ વાદમાં આત્મખ્યાતિ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy