SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન પ સ ંબંધનું સ્મરણ અને અન્ય સંબંધીની (અહીં અગ્નિની) અનુમિતિ. અગ્નિઅનુમિતિ એ અનુભૂતિ છે, સ્મરણ નથી કારણ કે સ્મરણ ભૂતકાળમાં જેને ઇન્દ્રિય સાથે સન્તિક થયા હાય તેનું થાય છે જ્યારે અહીં જેની અનુમિતિ થાય છે. તે અગ્નિના પૂર્વે કદીય ઇન્દ્રિયની સાથે સમ્નિ થયે હાતા નથી.૧૨ પશ્ચિકામાં શાલિકનાથે વધુમાં કહ્યું છે કે સ્મૃતિ એ ‘ત-આકાર’ હેાય છે જ્યારે અનુભૂતિ એ ઇદ-આકાર હોય છે. અને અનુમિતિ એ ‘ઇદમ્-આકાર’ છે તેથી તેને અનુભૂતિ ગણવી જોઈએ.૧૩ આવી કેાઈ રીતે ઉપમિતિ વગેરેને પણ પ્રભાકર અનુભૂતિ પુવાર કરી શકે છે. જયતે અનુમિતિ આદિને અંજ પુરવાર કરવા આપેલ લીલાનું પ્રભાકરે અનુમિતિ આદિને અનુભૂતિ પુરવાર કરવા આપેલ દલીલ સાથે જે સામ્ય છે તે અછતું નથી. નૈયાયિક મતે સ્મૃતિની યથાથ તા-અયથા તાનો આધાર આપણે ઉપર જોઈ. ગયા તે પ્રમાણે નૈયાયિકા સ્મૃતિને પ્રમા ન માનવા છતાં તેની દ યથાતાની શકયતા તે સ્વીકારે જ છે. આમ એમને મતે સ્મૃતિ યથા` કે અયથા હેાય છે. પૂર્વાનુભવ યથા તેા તેની સ્મૃતિ યથા અને પૂર્વાનુભવ અયથા તેા તેને લઈ થતી સ્મૃતિ અયથા. અહી એક વસ્તુ નોંધવા યાગ્ય છે. નૈયાયિકા યથાર્થ અનુભવનું લક્ષણ તેના વિષયને લક્ષમાં લઈ કરે છે, અર્થાત્ કહે છે કે વિષયના ધર્માં જ્ઞાનમાં ભાસે (જ્ઞાનને પ્રકાર બને) તે। તે જ્ઞાન (અનુભવ) પ્રમાણુ. પરંતુ તૈયાયિકા યથાથ સ્મૃતિનું લક્ષણ તેના વિષયને નિર્દેશીને નહિ પરંતુ પૂર્વાનુભવની યથાથતાને નિર્દેશીને કરે છે. આ જ પ્રક્રિયા અયથા સ્મૃતિનું લક્ષણ કરવામાં અનુસરવામાં આવી છે.૧૪ સ્મૃતિની યથાતા કે અયથા તાનુ તેના કારણભૂત મૂળ પૂર્વાનુભવની યથાર્થતા કે અથાતા ઉપરનું અવલંબન એવુ સૂચવે છે કે જો પૂર્વાનુભવ યથા હાય તા સ્મૃતિ કદાપિ અયથા ન જ થાય. પરંતુ આ વસ્તુ બરાબર નથી. પૂર્વે જેને યથા અનુભવ થયા હાય તેવી અતીત ઘટનાની આપણને અયથાથ સ્મૃતિ કેટલીય વાર થાય છે. અલબત્ત, નૈયાયિક આ વાતને ઈનકાર કરશે. નૈયાયિકને મતે સ્મૃતિ કદાપિ પૂર્વાનુભવની મર્યાદાનું ઉલ્લંધન કરતી નથી. તે કાં તે પૂર્વાનુભવના જેટલા જ વિષયને ગ્રહણ કરે છે (દ્વિત્રયા) કાં તે પૂર્વાનુભૂવના વિષયમાંથી થેાડાક વિષયને જ ગ્રહણ કરે છે (તનૂનવિષય પ્રમોષ); તે કદાપિ પૂર્વાનુભવના વિષયથી અધિક વિષયને ગ્રહણ કરતી નથી (ન તષિવિષયા). અર્થાત્, પૂર્વાનુભવના જે વિષય ન હોય તેનેય ગ્રહી પૂર્વાનુભવને વિકૃત કરનાર સ્મૃતિને નૈયાયિકા સ્વીકારતા જ નથી. અને આથી જેને ――
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy