________________
અધ્યયન ૬
શબ્દપ્રમાણ
પ્રાસ્તાવિક આપ્તવચન શબ્દપ્રમાણ છે, આગમપ્રમાણ છે. આમવચન દ્વારા આપણને જે જ્ઞાન થાય તેને શાબ્દ બોધ યા શાબ્દી પ્રમા કહેવાય. આ પ્રવચન શાબ્દી પ્રમાનું સાધકતમ કારણ છે. આપ્તવચનથી આપણને વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. પરંતુ આપ્તવચનથી આપણને વસ્તુનું યથાર્થ જ્ઞાન ત્યારે જ થાય જ્યારે આપણે આપ્ત વક્તાની ભાષા જાણતા હોઈએ અને વક્તાને આત તરીકે જાણતા હેઈએ. વકતાની ભાષા જાણતા હોઈએ અને તેની આપતા ન જાણતા હોઈએ તે તેનાં વચનોથી કેવળ વક્તવ્યનું-અભિપ્રાયનું જ્ઞાન થાય પણ વસ્તુનું યથાર્થ જ્ઞાન ન થાય. આમ શબ્દ દ્વારા વસ્તુનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે કેણ આપ્ત છે તે જાણવું જોઈએ અને ભાષાને - પદ પદાર્થ, વાક્ય-વાWાર્થને – સમજવાની શકિત કેળવવી જોઈએ. આ કારણે શબ્દ-બૂમાણના પ્રકરણમાં પદ-પદાર્થ, વાક્ય-વાક્ષાર્થ અને આપ્તતાની ચર્ચા કરવામાં આવે છે.
| શબ્દ-શબ્દાર્થ (પદ-પદાર્થ) શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય વિષય શબ્દ છે. શબ્દના બે પ્રકાર છે-ધ્વન્યાત્મક (inarticulate) અને વર્ણાત્મક (articulate). જે શબ્દ કેવળ ધ્વનિરૂપ છે, જેમાં અક્ષરે (વણે) પ્રફુટિત નથી હોતા તે શબ્દ ધ્વન્યાત્મક ગણાય; ઉદાહરણાર્થ, ઢેલને અવાજ. જે શબ્દ કંઠ, તાલુ, વગેરેના સંયોગથી જન્મે છે અને જેમાં વણે પ્રફુટિત હોય છે તે શબ્દ વર્ણાત્મક ગણાય છે. વર્ણાત્મક શબ્દના પણ બે ભેદ છે – સાર્થક અને નિરર્થક. જેનાથી કંઈ અર્થવિશેષને બંધ થાય તે સાર્થક ગણાય; ઉદાહરણર્થ, ઘટ, પેટ, ગો, વગેરે. જેનાથી કંઈ અર્થવિશેષ બધ ન થાય તે નિરર્થક ઉદાહરણાર્થ શિશુનાં ઉચ્ચારણા.
સાર્થક શબ્દ સંજ્ઞા, ક્રિયા વગેરેના ભેદને આધારે અનેક પ્રકારનો હોય છે. સાર્થક શબ્દને અમુક પદાર્થ સાથે જ સંબંધ હોય છે, અન્ય પદાર્થ