SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદર્શન ૨૧૫ વિષયમાં રાગ છે તેનું અનુમાન થાય છે. સુધા-તૃષાથી પીડિત થતાં ભઠ્ય-પેય વિષયે પ્રતિને રાત્રે બધાં પ્રાણીઓમાં પ્રગટ થાય છે. તેથી પ્રત્યેક પ્રાણીને વર્તમાને જન્મ પહેલાંનો પૂર્વજન્મ સ્વીકારો જોઈએ કારણ કે પૂર્વ સંસ્કાર વિના કોઈના વિશે રાગ જન્મતો નથી. જન્મ સાથે પ્રાણીમાં ચેષ્ટા દ્વાશ અનુમિત થતા રાગ પૂર્વ સંસ્કારને સૂચવે છે અને પૂર્વ સંસ્કાર પૂર્વજન્મને સૂચવે છે.૨૬ અહીં કેઈ શંકા ઊઠાવે છે કે જેમ ઘટ વગેરે દ્રવ્ય રૂપ વગેરે ગુણોની સાથે જ ઉત્પન્ન થાય છે તેમ આત્માઓ પણ શગ સાથે જ ઉત્પન્ન થાય છે. એટલે, જે ઘટના ઘટરૂપ ઉપરથી ઉત્પત્તિ પહેલાં ઘરનું અસ્તિત્વ સાબિત થતું નથી તે આત્માના રાગ ઉપરથી ઉત્પત્તિ પહેલાં આત્માનું અસ્તિત્વ કેવી રીતે સાબિત થઈ શકે : આમ આત્માના રાગ દ્વારા તેને પૂર્વજન્મ સિદ્ધ થતો નથી. શગનું કારણ આત્માને પૂર્વજન્મ નથી. આત્માને જે ઉત્પન્ન કરે છે તે જ રાગને ઉત્પન્ન કરે છે.૧૨૭ આના ઉત્તરમાં ન્યાયસૂત્રકાર ગૌતમ જણાવે છે કે આ દલીલ બરાબર નથી કારણ કે આત્માનો રાગ સંકલ્પજન્ય છે.૨૮ સંકલ્પ વિના આત્માને કઈ વિધ્ય પ્રત્યે રાગ થતો નથી. સંકલ્પને અર્થ અહીં મેહ લેવાનું છે. અન્ય સત્રમાં ગૌતમે મોહને જ રાગનું કારણ ગણ્યો છે. ૧૨૯ મેહરૂપ સંકલ્પ આત્માને પૂર્વભૂત વિષયને અનુસ્મરણ વિના જન્મતો નથી. જે વિષયને આત્મા પહેલાં અનુભવથી સુખનું કારણ સમજ્યો હોય છે તે વિષયની વાસના (સંસ્કાર) આત્મામાં પડી હોય છે અને તે વાસના જાગૃત થતાં તે વિષય કે તજાતીયા વિષય પ્રત્યે આત્માને રાગ જન્મે છે. વિષય સુખનું કારણ છે એવું જ્ઞાન જ મેહ છે. આવું જ્ઞાન પૂર્વાનુભવની વાસનાને કારણે જન્મે છે. આમ પૂર્વાનુભવથી પૂર્વાનુભવની વાસના, વાસનાની જાગૃતિથી મોહરૂપ સંકલ્પ અને સંકલ્પથી રાગ જન્મે છે. તેથી જીવના જન્મ પછી સૌ પ્રથમ જે રાગ જન્મે છે તે પણ મેહરૂપ સંકલ્પ વિના જન્મી શકે નહિ. ઘટ વગેરે દ્રવ્યમાં રૂપ વગેરે ગુણોની ઉત્પત્તિનું ' કારણ સંકલ્પ નથી. જ્યારે આત્મામાં રાગની ઉત્પત્તિનું કારણ સંકલ્પ છે. એટલે ઘટ વગેરે દ્રવ્યમાં રૂપ વગેરે ગુણે સંકલ્પ વિના ઉત્પન્ન થઈ શકે છે જ્યારે આત્મામાં રાગ સંકલ્પ વિના ઉત્પન્ન થતો નથી. અને જીવના જન્મ પછી સૌ પ્રથમ તેનામાં જાગતા રાગનું કારણ સંકલ્પ સ્વીકારતાં પૂર્વજન્મ સ્વીકારવો જ પડે. પ્રત્યેક જીવને જન્મ પછી અમુક વિષયમાં રાગ થાય છે. અનુરૂપ સંકલ્પ વિના તે રાગ ઉત્પન્ન થાય નહિ અને પૂર્વાનુભૂત તજ્જાતીય વિષયના સ્મરણ વિના
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy