SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ પદર્શન १५ सा हि जननीव कल्याणी योगिनं पाति, तस्य हि श्रद्दधानम्य विवेकार्थिनो वीर्यमुपजायते समुपजातवीर्यस्य स्मृतिरुपतिष्ठते, स्मृत्युपस्थाने च चित्तमनाकुलं समाधीयते, समाहितचित्तस्य प्रज्ञाविवेक उपावर्तते, येन यथावद् वस्तु जानाति, तदभ्यासात् तद्विषयाच्च वैराग्यादसंप्रज्ञातः समाधिः भवति । योगभाष्य १. २० । આ ઉપાયો સંપ્રજ્ઞાત યોગના પણ છે. સંપ્રજ્ઞાત યોગ પોતે પ્રજ્ઞારૂપ (વિવેકજ્ઞાનરૂપ) હોવાથી પ્રજ્ઞાને સંપ્રજ્ઞાત યોગનો ઉપાય ન ગણીએ તોય પ્રથમ ચાર તો સંપ્રજ્ઞાત યોગના ઉપાયો છે જ. વીર્યમાં યમથી માંડી ધારણા સુધીના છ યોગાંગોનો સમાવેશ થાય છે. સ્મૃતિ એ સાતમું યોગાંગ ધ્યાન છે અને સમાધિ એ આઠમું યોગાંગ સમાધિ છે. શ્રદ્ધા તો સર્વ યોગનું પ્રભવસ્થાન છે. બૌદ્ધો બોધિ પાક્ષિક ધર્મોમાં આ પાંચને ગણાવે છે અને એમને બળ એવું સમાન નામ આપે છે. જૈનોએ આ પાંચને જુદા વેશમાં સ્વીકાર્યા છે. તત્ત્વાર્થસૂત્ર (૮.૧) મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને બન્ધહેતુ તરીકે વર્ણવે છે. આ મિથ્યાદર્શન વગેરેના વિરોધીઓ અનુક્રમે દર્શન, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ (= પ્રવૃજ્યભાવ) થાય. દર્શન એ જ શ્રદ્ધા છે. વિરતિ એ જ વીર્ય છે. અપ્રમાદ એ જ સ્મૃતિ છે. અકષાય એ જ સમાધિ છે. કારણ કે જ્યારે ચિત્ત કષાયોથી મુક્ત બની પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે તેને સમાધિ સંપન્ન કહેવાય છે. અયોગ એ જ પ્રજ્ઞા છે. અયોગ અને પ્રજ્ઞાનો અભેદ એટલા માટે છે કે પ્રજ્ઞા એ અયોગનું કારણ છે. રાગદ્વેષરહિત જ્ઞાન (= પ્રજ્ઞા) હાનોપાદાનરૂપ પ્રવૃત્તિના અભાવનું કારણ છે. આ શ્રદ્ધા વગેરેને વિશાળ દૃષ્ટિથી સમજીએ : (૧) શ્રદ્ધા – “હું છું, હું દુઃખી છું, દુઃખનાં કારણો છે, દુઃખનાં કારણોને દૂર કરવાના ઉપાયો છે અને દુઃખનાં કારણો પૂરેપૂરાં દૂર કરી સંપૂર્ણ દુઃખમુક્ત થઈ શકાય છે.” – આની દૃઢ પ્રતીતિ એ જ શ્રદ્ધા છે. (૨) વીર્ય – આ શ્રદ્ધાને પરિણામે શ્રદ્ધાળુ વ્યક્તિ દુઃખનાં કારણોને દૂર કરી દુઃખમુક્ત થવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન જ વીર્ય, વ્યાયામ યા પરાક્રમના નામે અધ્યાત્મશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. વીર્યના સ્વીકારમાં ગોશાલકના નિયતિવાદનો પ્રતિષેધ છે. હું દુઃખી છું, દુઃખનાં કારણો છે, દુઃખના કારણો દૂર થાય છે અને વ્યક્તિ દુઃખમુક્ત થાય છે એ વાત સાચી પણ તે બધું નિયત છે અને તેમાં પુરુષ પ્રયત્નને કંઈ અવકાશ નથી એવા નિયતિવાદનો પ્રતિકાર વીર્યના સ્વીકારથી થઈ જાય છે. વળી, વીર્યના સ્વીકારમાં ઇશ્વરાનુગ્રહવાદનો (જે યોગદર્શને સ્વીકાર્યો છે એમ વિદ્વાનો માને છે) પ્રતિકાર પણ છુપાયેલો છે. દુઃખમુક્તિ માટેના પ્રયત્નમાં અહિંસાપાલનનું પ્રાધાન્ય છે. બીજાને દુઃખી નહીં કરો તો તમે દુઃખી નહીં થાવ” એ સૂર એમાં છે. (૩) સ્મૃતિ – સ્મૃતિ એ સતત આધ્યાત્મિક જાગૃતિ છે, જાગરણ છે. દુઃખનાં કારણ ક્લેશો ચિત્તમાં દાખલ ન થાય તે માટે સતત જાગૃત રહેવું એ જ સ્મૃતિ છે. આ સ્મૃતિનું મહત્ત્વ છાંદોગ્ય
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy