SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૭. તત્ત્વસર્ગ પ્રલયકાળ પ્રકૃતિ સામ્યવસ્થામાં હોય છે. ત્રણે ગુણો સમબલ હોય છે, જૂનાધિક હોતા નથી. એટલે તે ગુણો એકબીજાને પોતાનું કાર્ય કરવા દેતા નથી. ત્રણેય ગુણો સદશપરિણામ પામ્યા કરે છે. તે વખતેય રજોગુણ ક્રિયાશીલ હોય છે. પણ તમોગુણ અવરોધ નાખી વિસદશ પરિણામ થવા દેતો નથી. પરંતુ પ્રલયકાળેય પૂર્વ પૂર્વ જન્મોનાં કર્મોના ફલસ્વરૂપ અદષ્ટ તો દરેક જીવની સાથે હોય છે. આ અદષ્ટ જ્યારે વિપાકોનુખ બને છે ત્યારે તમોગુણનો પ્રભાવ ઘટે છે અને પરિણામે સામ્યવસ્થાનો ભંગ થતાં પ્રકૃતિમાં ક્ષોભ થાય છે. આ ક્ષોભને કારણે સામ્યવસ્થારૂપ પ્રકૃતિમાંથી મહતું, અહંકાર વગેરે વ્યક્ત તત્ત્વો આવિર્ભાવ પામે છે. સાંખ્યમતે પ્રકૃતિમાંથી મહતું, મહતુમાંથી અહંકાર, અંહકારમાંથી અગિયાર ઈન્દ્રિયો તેમ જ પાંચ તન્માત્ર ને પાંચ પન્માત્રોમાંથી પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિક્રમ ઈશ્વરકૃષ્ણને અભિમત છે.' કેટલાક આચાર્યોને મતે પ્રધાનમાંથી પ્રથમ એક અનિર્દેશ્યસ્વરૂપ તત્ત્વ ઉત્પન્ન થાય છે, અને મહત્તત્ત્વની ઉત્પત્તિ તે તત્ત્વમાંથી થાય છે. પતંજલિ, પંચાધિકરણ, વાર્ષગણ, ઈશ્વરકૃષ્ણ, વગેરે તો પ્રધાનમાંથી જ મહત્તત્ત્વની ઉત્પત્તિ માને છે. - અહંકારમાંથી પાંચ તત્પાત્રોની ઉત્પત્તિ સામાન્ય રીતે બધા સાંગાચાર્યો સ્વીકારે છે, જ્યારે વિંધ્યવાસી મહત્તત્ત્વમાંથી અહંકાર સાથે પંચતન્માત્રની ઉત્પત્તિ માને છે. યોગભાષ્યમાં વિંધ્યવાસીના મતનું સમર્થન છે. પરંતુ યોગભાષ્યમાં જ બીજે એક સ્થાને અહંકારમાંથી પંચતન્માનની ઉત્પત્તિનું વર્ણન મળે છે." યુક્તિદીપિકામાં એક પતંજલિનો ઉલ્લેખ છે. તે અહંકારતત્વના અસ્તિત્વને સ્વીકારતા નથી. તેમના મતે અહંજ્ઞાન મહત્તત્ત્વનું રૂપ છે.* તન્માત્ર પાંચ છે–શબ્દતન્માત્ર, સ્પર્શતક્નાત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગન્ધતન્માત્ર. આ પાંચેયની ઉત્પત્તિ તામસ અહંકારમાંથી થાય છે. તેમની ઉત્પત્તિનો ક્રમ આ પ્રમાણે છે : પ્રથમ તામસ અહંકારમાંથી શબ્દતન્માત્ર ઉદ્ભવે છે. પછી કમે તામસ અહંકારથી સહકૃત શબ્દતન્માત્રમાંથી સ્પર્શતક્નાત્ર, તામસ અહંકારથી સહકૃત સ્પર્શતક્નાત્રમાંથી રૂપતન્માન, તામસ અહંકારથી સહકૃત રૂપતન્માત્રમાંથી રસતન્માત્ર અને તામસ અહંકારથી સહકૃત રસતન્માત્રમાંથી ગધેતન્માત્ર ઉદ્ભવે છે. વ્યાસભાષ્યગત ઉપર દર્શાવેલો વિરોધ દૂર કરવાનો પ્રયત્ન કરતાં યોગવાર્તિકકારે કહે છે કે તન્માત્રોનું બુદ્ધિપરિણામિત્વ અહંકાર દ્વારા જ માનવું જોઇએ.'
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy