________________
zel- zgla sz-u2. 1193||
દ્માસન... ઈત્યાદિ - ઞાતનનિર્વન્ધમુ= કિલ્લા વગેરેના આશ્રયથી યુદ્ધની વ્યૂહરચનાને અથવા પદ્માસનાદિના સાધનને. ગતિમુ= રાજનીતિને અથવા શ્વાસોશ્વાસક્રિયાને. વરપુરપ્રવેશશિતામ્ = શત્રુઓના નગરમાં પ્રવેશનૈપુણ્યને અથવા પરકાયપ્રવેશનિપુણતાને. પાવનીમ્= પવિત્ર અથવા પવનસમ્બન્ધી. યુદ્ધસમ્બન્ધી વ્યૂહરચનાને કર્યા વિના તેમજ પવિત્ર રાજનીતિનું ઉલ્લંઘન કર્યા વિના શત્રુઓના નગરમાં પ્રવેશ કરવાની નિપુણતાને (સ્વપરાક્રમથી) સિદ્ધરાજે પ્રાપ્ત કરી. જ્યારે, સિદ્ધ છે યોગ જેને એવા યોગીઓ પદ્માસનાદિને કર્યા વિના અને યોગશાસ્ત્ર પ્રસિદ્ધ શ્વાસોશ્વાસગતિને રોક્યા વિના પરકાયપ્રવેશની નિપુણતાને પ્રાપ્ત કરતા નથી. આથી યોગીઓ કરતા સિદ્ધરાજની વિશેષતા છે. અથવા સિદ્ધ છે રાજયોગ જેને એવા રાજયોગીઓ પણ પદ્માસનદિને સાધ્યા વિના અને શ્વાસોશ્વાસને રોક્યા વિના જ પરકાયપ્રવેશની નિપુણતાને પ્રાપ્ત કરે છે. તેથી રાજયોગીનું સામ્ય; સિદ્ધરાજમાં છે...
इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे पञ्चमस्याध्यायस्य द्वितीयः पादः ।
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता।
986...