SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ એવા પરમેષ્ઠીની સાથે પ્રણિધાન કર્તાને અભેદ છે. જેમ અઈમુ આ મંત્રાક્ષર પરમેષ્ઠીનું વાચક છે તેમ તેમનાથી અભિન્ન એવા મારું પણ વાચક છે.' આ રીતે પોતાના શુદ્ધ આત્માના, પરમાત્માની સાથેના અભેદનું જે ધ્યાન છે તેને પ્રણિધાન કહેવાય છે. જે તાત્ત્વિક નમસ્કાર સ્વરૂપ છે. જેથી નમસ્કાર કર્તાસ્વર્ય નમસ્કાર્ય બને છે./૧ સિપિ ચાલુવારા ૧૧ારા સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદ. સ્યાદ્વાદથી, પ્રકૃતિ - આ વ્યાકરણમાંના શબ્દોની સિદ્િધ એટલે ઉત્પત્તિ અને જ્ઞાન જાણવાં. આશય એ છે કે નિત્યત્વ અનિત્યત્વ; ભેદ અભેદ ઈત્યાદિ અનંતધમથી યુક્ત એવી વસ્તુમાં નિત્યત્વ અનિત્યસ્વાદિ ધર્મોનો ભિન્ન ભિન્ન અપેક્ષાએ સ્વીકાર કરવો એ અનેકાંતવાદ છે. આ વ્યાકરણમાં જે જે સમ્યફ શબ્દોની સિધિ કરાઈ છે. એ સિદ્િધ અનેકાંતવાદ વિના શક્ય નથી. શબ્દમાં નિયત્વ અને અનિત્યત્વ, ભેદ અને અભેદ ઈત્યાદિ વિરુદ્ધ ધર્મોનો સમાવેશ ન માનીએ તો શબ્દોનો પરસ્પરનો વિશેષણ-વિશેષ્યભાવ, હસ્વ દીઘદિ આદેશ, વગેરે જે ફેરફાર છે તે ઘટી શકે નહીં. સર્વવ્યવહારની ઉપપત્તિની જેમ જ શબ્દોની ઉપપત્તિ પણ અનેકાંતવાદને આધીન છે. એ અનેકાંતવાદથી અસત્કાર્યવાદીના મતે સાધુશબ્દોની ઉત્પત્તિ અને સત્કાર્યવાદીના મતે શબ્દોની જ્ઞપ્તિ (કાન) થાય છે. અનેકાંતવાદ વિના શબ્દોમાં થતાં ફેરફાર શાં માટે સંગત થતાં નથી, સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ માનનારનો કયો આશય છે... ઈત્યાદિ વસ્તુને ભણાવનારા પાસેથી બરાબર સમજવી જોઈએ. રા. રોશન ૧૩ સંયોગાદિ સંજ્ઞાઓ ઘટાલાલાદિ ન્યાયો અને હું ... 'ઈત્યાદિ વર્ગોનો અનુક્રમ વગેરે જે આ વ્યાકરણમાં કહયું નથી
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy