SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સૂત્રથી સમાહાર સમાસ થાય પણ વૃદ્ધિ શબ્દ સાથે છે તે અદ્રવ્યવાચક અને વિરોધિવાચક છે પણ સજાતીય નથી માટે વાર્થે... ૩-૧-૧૧૭ થી ઇતરેતર દ્વન્દ્વ સમાસ થશે પણ સમાહાર દ્વન્દ્વ આ સૂત્રથી નહિં થાય. પરસ્પર વિરોધિ અદ્રવ્યવાચક નામોનો સજાતીયની સાથે એકાર્થક (સમાહાર દ્વન્દ્વ) વિક્લ્પ થાય છે. આ બાબત વાર્થે...... ૩-૧-૧૧૭ થી સિદ્ધ જ છે. કારણ કે કોઈપણ શબ્દનો સમાહાર અને ઇતરેતર બન્ને વાર્થે... ૩-૧-૧૧૭ થી થાય જ છે તેથી સમાસ સિદ્ધ હોવા છતાં આ સૂત્ર બનાવ્યું. તેથી નિયમ થયો કે હવે વિરોધિવાચક અદ્રવ્યવાચકનો જ સજાતીયની સાથે જ એકાર્થક (સમાહાર દ્વન્દ્વ) વિક્લ્પ થાય. તેથી વિરોધિવાચક એવા અદ્રવ્યવાચકનો જ સમાહાર દ્વન્દ્વ અને ઇતરેતર દ્વન્દ્વ બંને સમાસ થશે. તે સિવાયના (વિરોધિ હોય પણ અદ્રવ્યવાચક ન હોય, તથા અદ્રવ્યવાચક હોય અને વિરોધિ ન હોય એવા) શબ્દોનો વાર્થે... ૩-૧-૧૧૭ થી માત્ર ઇતરેતર દ્વન્દ્વ સમાસ જ થાય પણ સમાહાર દ્વન્દ્વ સમાસ નહીં થાય. દા.ત. રુપરક્ષાન્સસ્પર્શી: અહીં માત્ર ઇતરેતર દ્વન્દ્વ સમાસ જ થશે. કારણ કે પરસ્પર સજાતીય વિરોધી નથી. અશ્વવડવ - પૂર્વાપરા-ધરોત્તાઃ । ૩-૧-૧૩૧. . અર્થ:- આ ત્રણે પણ સમાસો દ્વન્દ્વ સમાસમાં એકાર્થક વિક્લ્પ થાય છે જો સજાતીયની સાથે હોય તો. સૂત્ર સમાસઃ- શ્વવડવધ પૂર્વાપથ ધોત્તરશ્ન-ગંધવડવપૂર્વાપરાધરોત્તા: (ઈ..) - વિવેચનઃ- અશ્વવત્વમ્, અવડવૌ – અહીં અશ્વ અને વડવા નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. અને આ સૂત્રથી એકાર્થક વિક્લ્પ થયો છે. પૂર્વાપરમ્, પૂર્વાપરે – અધરોત્તરમ્ - ધોત્તરે - અહીં પૂર્વ અને અપર નામનો તેમજ અધર અને ઉત્તર નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy