SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુસ્વામી ચરત્ર વા. જે મધુના બિંદુઓ તે વિષે જાણવા કે જે કષ્ટમાં પણ પ્રાણીને સ્વાદ આપી રહ્યા છે. હે મિત્ર પ્રભાવ, હું પણ એવી અવસ્થામાં આ વી પડ હતું, ત્યારે જેમ પેલા પુરૂષને વિદ્યાધર મળ્યું હતું, તેમ તે વિદ્યાધરના જેવા ગુરૂ મને પ્રાપ્ત થયા છે. હવે તું મને શા માટે અટકાવે છે? એવા ગુરૂ ફરીવાર સુલભ થતા નથી.” જંબૂકુમારને આ વૃત્તાંત સાંભળી ધન અને વનિતાના ભાગના વિષયમાં નિરૂત્તર થઈ ગયેલા પ્રભાવે પછી બીજા વિષય ઉપર પ્રશ્ન કર્યો. “મિત્ર, કદિ ધન અને વનિતાને ભેગ નઠારે હોય તે એ વાત એક તરફ રહી પણ પાષાણના જેવા કઠેર હદયથી આ તારા કુટુંબને ત્યાગ શા માટે કરે છે? કારણ કે, કેટલાએકને સ્વજને જીવતા ન હોય, કેટલાએક સ્વજનના અભક્ત હોય અને કેટલાએક સ્વજનની સાથે વિરોધ કરનારા હેય, તેથી પ્રાયે કરીને સ્વજનને વેગ સુલભ નથી. અને જે સ્વજનને વેગ પ્રાપ્ત થયે તે તે છેડ એગ્ય નથી.” જંબૂકુમાર બે-“અરે ભાઈ, આ સંસારમાં ભમતા એવા સંસારી જીવે સર્વ જીની સાથે સર્વ પ્રકારના સંબંધે પ્રાપ્ત કરેલ છે, તે પછી કયા સંબંધ ઉપર રાગ કરે? એ કહી શકાતું નથી. વળી જેઓ સંસારમાં જ્યારે સંપત્તિ પ્રાપ્ત થાય છે ત્યારે સાથે મળી તેને ઉપભંગ કરવા ભેગા થાય છે, પણ જ્યારે સંપત્તિને નાશ થઈ દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે તેઓ જુગારીઓની જેમ દૂર ચાલ્યા જાય છે, એવા સ્વજનેને વિષે આદર શું કરે? એમાં પણ જ્ઞાતિને સંબંધ તે માયા વચનની જેમ વિપરીત જોવામાં આવે છે, આ વાત જે તારા માનવામાં ન આવતી હોય તે તે ઉપર એક કથા છે, તે ધ્યાન દઈને સાંભળ. આ દેશમાં મધુર આકૃતિવાળા પુણ્યવાન પુરૂષોએ સેવેલી મથુરા નામે એક નગરી છે. તે નગરીમાં સંબંધની વિચિ. જાણે કામદેવની સેના હેય તેવી કુબેરસેના ત્રતા ઊપરદષ્ટાંત. નામે એક ગણિકા રહેતી હતી. તેણીએ એક વખતે કુબેરદત્ત અને કુબેરદના નામે પુત્ર પુત્રીના યુગલને જન્મ આપ્યું. તે ગુણિકાની વૃદ્ધમાતાએ ના પડી તે છતાં તેણુએ તે બંને બાલકને દશ દિવસ સુધી રતનપાન
SR No.005818
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy