SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ શ્રી જંબુસ્વામી ચરિત્ર. • વતે પેલે હાથી જે તે હાથી એ પુરૂષને પકડી ન શક્ય એટલે તેણે જોર કરી તે વડનું ઝાડ કપાવ્યું. તેવામાં તે ઝાડ સાથે બાંધેલા મધપુડામાંથી મધ માખે ઉડીને તે પુરૂષના શરીર ઉપર ચેટી પડી. આ સમયે પેલા મધપૂડામાંથી કેટલાએક મધના બિંદુઓ તે પુરૂષના મુખમાં પડવા લાગ્યા. તેના સ્વાદથી તે પુરૂષ આવી આપત્તિને પણ પિતાના પુણ્યભેગે મળી એમ માનવા લાગ્યું. આ વખતે કઇ વિદ્યા. ધર આકાશ માગે ફરતે ત્યાં આવ્યું. તે પુરૂષની આવી દુઃખી અવસ્થા જોઈ તેને દયા આવી. તત્કાલ તે વિદ્યાધરે આવી તેને કહયું. “અરે દુઃખી માણસ તું કહે તે તને અહીંથી કેઇ શહેરમાં લઇ જાઉ. ” રસના ઈદ્રિયને નહીં વશ રાખનારા તે પુરૂષે ઉત્તર આપે. “હે મિત્ર, આ મધનું એક બિંદુ પડવાની તૈયારીમાં છે. તે પડે એટલે હું તેનું પાન કરી લઉં તેથી તું જ્યારે પાછે વળ ત્યારે મને લઈ જજે.” વિદ્યાધર આવા વચન સંભાળી ચાલ્યા ગયે. પરંતુ દયાને લઇને તે પાછો વળતે આવે ત્યારે પણ તેણે પહેલા જેજ જવાબ આપે. આથી તે વિદ્યાધર કંટાળીને ચાલ્યા ગયે.” - હે ચેરપતિ પ્રભવ, કહે એ કે માણસ? તેને જડ સમજ કે ડાહયે સમજ? પ્રભવે તત્કાળ ઉત્તર આપે. “જે પુરૂષ એવી આપત્તિમાં માત્ર એક મધના બિંદુના લોભથી રહે, તે ખરેખર જડ સમજવે.” જંબૂકુમાર બે -પ્રભવ, આ વાતને મર્મ કાન દઈને સાંભળ, જે વિધ્યાચળની અટવી કહેવામાં આવી તે આ સંસાર સમજ. જે પુરૂષ કહેવામાં આવ્યું છે, તે સંસારી જીવ સમજ. જે મહાન ગજે તેને અટકાવ્યું, તે મૃત્યુ સમજવું. જે કુવે કહેવામાં આવ્યું, તે મનુષ્ય ભવ સમજ. તેની અંદર શાખા રૂપી આયુષ્યને અવ. લંબીને તે પુરૂષ રહ્યો હતો, જે નીચે અજગર કહેવામાં આવ્યું તે નરક સમજવું. જે કુવાની આસપાસ ચાર સર્પો હતા, તે ક્રોધ વગેરે ચાર કષાય સમજવા. તે પુરૂષના શરીર ઉપર મધમાંખ લાગી હતી, તે સુખને ઘાત કરનારી રેગની પીડાએ સમજવી. પેલી શાખાને ખેદનાર જે બે ઉંદરે કહેવામાં આવ્યા, તે આયુષ્ય રૂપી શાખાનુ ભક્ષનું કરવામાં ચતુર એવા બે શુકલપક્ષ અને કૃણુપક્ષ સમજ
SR No.005818
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy