SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આપેલા દટાંતો રાગરૂપી સપના ઉગ્રવિડની ઉર્ષેિધી કશ પામનારા હદય ઉપર સંજીવનીની પવિત્ર ધારા રેડે છે. તે સાથે તે સદાચાર તથા સદ્ભાવનાનો જ સંબંધ સમજાવવા અને દુરાચાર તથા દુર ભાવનાનો અંત બતાવી દુરાચારથી દૂર રાખવાનો ઉત્તમ માર્ગ સૂચવે છે. મહા મા જંબૂકુમારે આપેલા તે અસકરારક દટાંતો શ્રવણ કરવાથી શુદ્ધ આહત રૂધિરમાં રહેલું વીર્ય ઊછલ્યા વગર રહેતું નથી. તેમના દાંતના ચિત્રો એવાતો પ્રરૂષિત કરવામાં આવ્યા છે કે, જેની અસર દયના ઉંડા પ્રદેશમાં મુદ્રિત થાય છે, કાગડાનું દટાંત રસેંદ્રિયની લુબ્ધતા અને અસંતોષથી થતા નઠારા પરિણામનો બોધ આપે છે. પુરુષાસારનું દટાંત મોહનિદ્રામાં પ્રમાદી થઈ પડી રહેનાર અને મોક્ષસુખને માટે ઉત્ન નહીં કરનાર પુર કેવી અધમ દશા પામે છે, તેનો ચિતાર આપી સદા અપમત્ત રહેવાની ઉત્તમ શિક્ષા આપે છે. વિન્માલીનું દટાંત વનિતાઓ ધર્મ ધનને હરનારી ચોરરૂપ છે, એ વાતને દઢ કરી આપે છે; વાનરનું દટાંત ભોગ અને સંતોષની ઘટના થઈ શકતી નથી, એ વિશેનું ઉત્તમ શિક્ષણ માપે છે, ઉપજતિવંત અશ્વનું ઉપનયવાળું દટાંત સદા અંભેતરત કરેલા સન્માર્ગને વળગી રહેવાનો સુબોધ સિદ્ધ કરી બતાવે છે. કમઠનું દટાંત પ્રાપ્ત થયેલી ઉતમ સામગ્રીને મોહને વશ થઈ ત્યજી દેવાથી કેવી હાનિ થાય છે? તે વાત હદવાટ કરે છે. મિત્રોનું કરાંત ઉપનયની યોજનાથી પ્રાણીને વિપત્તિમાં રક્ષા કરનાર પોતાનું શરીર કે કુટુંબ નથી પણ ધર્મ અને ગુર છે” એ વાત ઘણી અસરકારક રીતે સિદ્ધ કરે છે, અને છેવટનું વિતરનું દમ્રાંત મા સંસારરૂપી અંધકૂપના વાસની મહાવ્યથાને દર્શાવી વૈરાગ્ય ભાવનાની ઉપયોગિતા સાબિત કરે છે. આ દાંતોના પ્રભાવની અસર થતાં જંબુકમારની ગાઠ રમણીય અને પ્રભાવચોરના મુખમાંથી પ્રકટ થયેલા ભાવનાના ઉદ્ગાશે મહાત્મા કવિએ એવી આલંકારિક કવિતામાં ગુઆ છે કે, જે વાંચતાં જ વાંચકોની તન્મયતા નિરૂપિત રસસાથે થઈ જાય છે, છેવટે કવિએ મહાત્મા જંબુસ્વામીનો સપરિવાર અર્થાત ચારિત્ર માર્ગ એવી રસમય છટાથી સંક્ષિપ્ત રીતે વર્ણવ્યો છે કે, જે વાંચતાંજ આત્મા અધ્યાત્મરસમાં મા બની જાય છે અને બાન-વૈરાગ્યાદિકથી વૃદ્ધિ પામતા અને સર્વ વિશ્વભાવને પ્રત્યક્ષ કરનારા-પૂર્ણ-આનંદરૂપ ચંદ્રની કથાને મેળવવાની ભવ્ય ભાવના પ્રગટ થાય - આ ચારિત્ર કાવ્યના લેખક મહાત્માણી જોબર સૂરિ અંચળગચ્છમાં થયેલા હતા. તેઓ મહાન વિખ્યાત શ્રી મહેન્દ્રપ્રભ સૂરિના શિષ્ય હતા. વિકમ સંવત્ ૧૪૩૬ ના વર્ષમાં તેઓ આ ભારતભૂમિ ઉપર વિચારતા હતા. તેમની જન્મ ભૂમિ અને જન્મ વર્ષ વિશે જાણવામાં આવ્યું નથી. તેઓ સરસ્વતી દેવીના પરમ ઉપાસક હતા. તેમને સ્તંભતીર્થ (ખંભાત) માં સરસ્વતી દેવીએ કવિ કવનની દિવ્ય પદવી આપી હતી. તે મહાનુભાવે આ ધર્મ અને સાહિત્યના અનેક ગ્રંથો રચેલા છે. તેમાં ઉપદે
SR No.005818
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy