SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારવાલી સંસ્કૃત ભાષાના કાવ્ય માધુર્યમાં ઉતારેલો એ બોધ સાંસારિક ભાવની અનિયતા, આત્મ સ્વરૂપના શાનનો મહિમા અને યૌવન તથા ધન વૈભવના વિલાસોની તુચ્છતા પુર્ણ રીતે પ્રતિપાદન કરે છે. અને ભવચકમાં ભમતા તથા ચતુર્વિધ ગતિમાં પર પુદ્ગલ જનિત નવાનવા પરિણામરૂપ નૃત્યને વિલોકતાં છતાં પ્રતિબોધ નહીં પામનારા પામર જીવોને ધિક્કારે છે. આ સમયે પ્રથમ વાગુદાનથી જોડાએલી આઠકના ભાવી કર્મની પ્રેરણાથી જંબૂકુમારને સંસારમાં સ્થાપિત કરવાની અસાધારણ હીંમત બતાવે છે.અને તે ઉપરથી મહાનુભાવ કુમારના વિવાહનો નિશ્ચય થાય છે. માતા પિતાની ભક્તિથી ઉલ્લસિત હૃદયવાળો ધર્મવીર જંબૂકુમાર દાક્ષિણ્યતાના ગુણથી વિવાહિત થાય છે. આ વિવાહનો પ્રસંગ મહાત્મા કવિએ અદ્ભુત રસાલંકારોથી વર્ણવ્યો છે. સંસારના વૈવાહિક ચિત સાથે ભરેલી વૈરાગ્ય ભાવના વાચકોના હૃદયને આકર્ષે છે અને અશાન પંકને શોપનારી શાનરવિની પ્રભાપ્રસારે છે. • વિવાહિત થયેલ જંબૂકુમારનો આઠ રમણીયોનો એકાંત સમાગમ, તે વખતે વિલાસી વધૂઓની મોહદશાનું વર્ણન મહાત્મા કવિએ અદભુતતાથી આ લેખ્યું છે. તે પ્રસંગે શૃંગાર અને વૈરાગ્ય રસની પરસ્પર સ્પર્ધા અને આખરે વીર એવા વૈરાગ્ય રસનો ગાર ઉપર વિજય બતાવી મહાત્મા લેખકે પોતાની કસાયેલી કલમનું પુરેપુરું અનુપમ માધુર્ય પ્રગટ કરી બતાવ્યું છે. આવા શાંત રસના મહાસાગરને ઉછાળવામાં ચંદસમાન એવા આ પ્રસંગે ચોરનાયક પ્રભવનો પ્રસંગ વિશિષ ઉત્તેજિત બને છે. તે પ્રસ્તુત વિષયમાં માહત પ્રબોધના દટાંતોમાં શિરોમણિરૂપ બનેલું મધુબિંદુનું દાંત વિવેચન પૂર્વક વર્ણવવામાં આવ્યું છે. જેના શ્રવણથી પ્રભાવચોરના હૃદયની મલિનતા લય પામી જાય છે અને તેમાં શુદ્ધ ભાવનાની ઝાંખી છાપ પડે છે, પુનઃપ્રભવના સ્વજન સંબંધીના પ્રશ ઉપર જંબૂકુમારે કુબેરદત્ત અને કુબેરદનાનું વિચિત્ર અને અદ્ભુત દાંત આપી પ્રભાવના હૃદયમાં વિશેષ પ્રકાશ પાડયો છે. આ પ્રસંગની વચ્ચે મોહરાજના કારાગૃહમાં પડેલી આઠ રમણીઓનો અને તેજ મોહરૂપ મહારાજા ઉપર વિજય મેળવી વૈરાગ્ય ભાવનાની વિજામાળને ધારણ કરનાર મહાતમા બૂકુમારનો પરસ્પર દટાંત પૂર્વક સંવાદ સહદયના હદયને સંસાર અને વૈરાગ્યનું પૂર્ણ ભાન કરાવે છે. જુદા જુદા વિષયના સ્વરૂપને અનુસરવા કરતો એવાતો ગ્રથિત કર્યા છે કે જે વાચવાથી સહદય વાંચકોના હદય તે તે આનંદમાં દ્રવીભૂત થયા વિના રહેતા નથી. એક તરફ તે રમણીયોએ આપેલા દાંતો માસિક ભાવને નીતિની શિક્ષા સાથે દયારૂઢ કરે છે ત્યારે બીજી તન્ય મહાનુભાવ મારે
SR No.005818
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy