SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર કરેલા વચનને અનાદર કરે તે માત્ર મોહને જ પ્રભાવ છે એમ હું માનું છું. અને તેમ કરવાથી તે આ લેક અને પરલેકમાં અતુલ દુ:ખ પ્રાપ્ત થશે. વળી સદ્દગુરૂની આજ્ઞાને ભંગ કરવાથી ભવિષ્યમાં બેધિ પણ દુર્લભ થશે. એમ મહારું મંતવ્ય છે. એ પ્રમાણે અનેક યુકિતથી બહુ ઉપદેશ આપે પરંતુ દારૂણ કર્મને લીધે તેણીએ તે વચન માન્ય કર્યું નહીં. “અહો ! મેહમહિમા કે દારૂણું છે?” એમ જાણું એ ભૂપતિએ તિરસ્કારપૂર્વક તેને ત્યાગ કર્યો. ત્યારથી તે વિલાસવતી પણ બહુજ કંદાદિકનું ભેજન કરવા લાગી. તેથી રોગ પણ વધારે વ્યાપી ગયે. અંદર અને બહારથી અંધ બની ગઈ. ત્યારબાદ તે અનેક દુઃખ અનુભવી અસમાધિથી મરણ પામી વ્યંતર યોનિમાં ઉત્પન્ન થઈ! ત્યાંથી નીકળી પુન: બહુકાળ ભવ ભ્રમણ કરી અનુકમે કર્મને ક્ષય કરી મેક્ષે જશે. કનકશ્રીએ પણ બીજું ગુણવતે લીધેલું હતું છતાં વિલાસ વતીના સંસર્ગને લીધે તેમાં તે શિથીલ કનકશ્રી બની ગઈ અને સચિત્તને નિયમ કરેલ છે તેપણ ઘણું પાકેલાં આમ્રફળ અચિત્ત ગણાય એમ માની સચિત્ત ભેજન કરવા લાગી. તે જોઈ રાજાએ તેને કહ્યું, હે સુંદરી ! અંજલિમાં રહેલા જલબિંદુ સમાન આયુષ ક્ષીણ થાય છે. તે શું તું નથી જાણતી ? તેમ હે મૃગાક્ષિ ! લામીનું સુખ વિરસ, પરિણામે દારૂણ દુઃખદાયક અને અનંત ભવ ભ્રમણમાં કારણભૂત થાય છે. તે શું તું નથી દેખતી? વળી જે પ્રાણુ નિયમ લઈ પ્રમાદવડે તેને નાશ કરે છે તે મનુષ્ય તુચ્છ વિષયના ભેગ માટે કેટી ધનને બદલે કડી ખરીદે છે. જેમ કિંચિત માત્ર ખાધેલું હલાહલ વિષ મરણદાયક થાય છે. તેમ છેડે પણ નિયમને કરેલે ભંગ પ્રાણીઓને મહા દુખ ન કરવા લાગી અફળ શિ કરી ક્ષીણ થાય
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy