SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દઈને પણ પોતાના આત્માનું રક્ષણ કરે. અથવા દંડ આપીને છુટવાને ઉપાય કરે, નહિં તે આપને જીવવું પણ મુશ્કેલ થશે, એમાં કંઈ સંશય નથી. એ પ્રમાણે સાંભળી રાજા ભયભીત થઈ ગયા અને રાત્રી દિવસ ગમન કરી ત્યાંથી બહુ દૂર ચાલે ગયે. આ વાત તેના દૂતના કહેવાથી ગુણચંદ્રના જાણવામાં આવી એટલે તરતજ ગુણચંદ્ર તેની પાછળ ચાલ્યા. આગળ રાજા અને પાછળ ગુણચંદ્ર ચાલ્યા જાય છે. એમ કરતાં ગુણચંદ્ર સ એજનથી કંઈક અધિક નીકળી ગયે તેવામાં તેને દિવ્રતનું સ્મરણ થયું અને વિચાર કરતાં તેણે જાણ્યું કે નિયમથી દશ જન અધિક હું આવ્યું, તેથી મહારૂં દિવ્રત કલંકિત થયું. વળી મહારા આભાસ માત્રથી તે રાજા નાશી ગયે. એમ જાણે હું બહુ ખુશી થયે, પરંતુ પિતાના નિયમના ભંગરૂપી દંડવડે હું દંડાય એમ હારા જાણવામાં આવ્યું નહીં. વળી લેશમાત્ર પણ નિયમને ભંગ કરવાથી અતિ દારૂણ દુઃખ ઉત્પન્ન થાય છે. કિંચિત્ માત્ર પણ હલાહલ વિષ ખાવાથી જેમ પ્રાણી જરૂર મૃત્યુ પામે છે તેમ આ અતીચારનું સેવન પણ અમંગલિક છે. માટે હવે અહીંથી એક ડગલું માત્ર પણ આગળ ચાલવું યેગ્ય નથી, એમ ધારી ગુણચંદ્ર ત્યાંથી પાછા વળે અને તે રાજાના નગરમાં પોતાનો એક અધિકારી મૂકી સૈન્ય સહિત પિતાના નગર તરફ પાછો ફર્યો. બાદ વિભૂતિ સહિત ગુણચન્દ્ર પિતાના રાજા પાસે જઈ નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. મહા બુદ્ધિશાળી સુંદરને ઉત્તર દિશામાં સમરવીર રાજા પાસે મોકલ્યો હતો. કારણકે તે રાજા બહુ . સુંદરવણિક પરાક્રમી હતું અને તેની સેના પણ ઘણી જ દુર્જય હતી. તેથી તે દંડ સાધ્ય નહોતે
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy