SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૨) શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ત્યાર બાદ રાજાની આજ્ઞાથી તેણે પોતાના નાના પુત્ર મહેંદ્રને પિતાના ઘરમાં રાખે. બાકીના ચારે પુત્રને રાજાના હુકમ પ્રમાણે પિતે પણ યુદ્ધ કરવા જવાની આજ્ઞા આપી. પછી તેઓ ચારે દિશાઓમાં સૈન્ય સહિત શત્રુઓને જીતવા માટે ગયા. તેમાં પ્રથમ પુત્ર વરૂણ ચતુરંગસેના સહિત મલયાચલ તરફ ચાલ્યા અને ત્યાં જઈ દુર્ગની તળેટીમાં તેણે પડાવ કર્યો. શિવભદ્રને નાને પુત્ર મહેન્દ્રસિંહ વરૂણના સ્નેહને લીધે પિોતાના પિતાની આજ્ઞા લીધા શિવાય મહેદ્રસિંહ. મહા કષ્ટવડે ઘેરથી નીકળે અને વરૂણની પાસે ગયે. વરૂણે પણ તેને પોતાની પાસે બહુ સાવચેતીથી રાખે. અને પિતાના પિતા ઉપર લેખ મોકલી મહેંદ્રસિંહના સમાચાર જણાવ્યા કે એની ફિકર ચિંતા કરશે નહીં. ત્યારબાદ ત્યાં એક વૃદ્ધ ભીલ આવ્યા અને વરૂ રણને કહેવા લાગ્યું કે હે મહાશય ! કૃપા કરી એકાંતમાં મહારી સાથે આપ ચાલે. આપને તેડવા માટે હું આવ્યો છું. વરૂણે પણ તેને કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી તે ભીલ્લા બે મનુષ્યોએ પ્રવેશ કરી શકાય તેવી ગુફાની અંદર ઉંચે ચડવાની એક મહેાટી સુરંગ છે, તે સુરંગ કિલ્લાના મધ્ય ભાગ સુધી લાંબી છે. અને તે ઠેકાણે એક સુંદર મહેલ છે, તેની અંદર શયામાં તે કિલ્લાઓને અધિપતિ વિરાજે છે. તે કિલે છે તું મને આપે તે હું તને તેની પાસે લઈ જાઉં. વરૂણ પણ તે પ્રમાણે તેનું વચન માન્ય કરી તેની સાથે ચાલે અને મહેંદ્રસિંહને પિતાના સન્યની અંદર રાખ્યું. ત્યારબાદ સુરંગમાં થઈ અનુક્રમે વરૂણ સહિત ભીલ મહેલમાં ગયે. તેના મધ્ય પ્રદેશમાં ભીલ લેકે તે અધિપતિ પોતાની સ્ત્રીઓ સાથે સુઈ ગયે હતું. તે વૃદ્ધ ભીલે તેને તે બતાવ્યું. પછી તેજ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy