SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદત્તશ્રેષ્ઠિનીકથા. (૭૯) વૈરાગ્ય થવામાં મુખ્ય કારણુ સંસારજ છે તેથી કાઇ અન્ય નથી, પરંતુ મ્હારે વ્રત ગ્રહણ કરવામાં વૈરાગ્યકારણુ વિશેષે કરી મ્હારી સ્ત્રી કારણભૂત થએલી છે. ધનદેવ બોલ્યા, હું મહાશય ! સ્ત્રી કેવી રીતે કારણ થઈ ? તે આપ કૃપા કરી કહેા. મુનીંદ્ર ખેલ્યા, આ ભરતક્ષેત્રમાં શુભાવાસ નામે નગર છે. તેમાં રિપુમન નામે રાજા છે, તેમજ વિશાલબુદ્ધિ નામે તેના મંત્રી અને રતિસુ દરી નામે તેની સ્ત્રી હતી. વળી તે નગરથી પૂદિશામાં બગીચા છે, તેમાં રૂષભદેવ ભગવાનનું મંદિર છે. જેની અંદર હમ્મેશાં દેવ, વિદ્યાધર અને કિનરા નૃત્યાદિક સેવામાં હાજર રહેતા હતા. તેના દ્વાર આગળ એક આમ્રવૃક્ષ હતુ, તે સર્વ રૂતુઓમાં કુલ આપતા હતા. તેની ઉપર એક પોપટનું જોડલું' હમ્મેશાં સુખેથી નિવાસ કરતું હતું. એવામાં તેને પુત્ર થયા, પરસ્પર બન્ને તેને પાળતાં હતાં. ત્યારબાદ કાઇક દિવસે તે પાપટ અન્ય પોપટની સ્ત્રી ઉપર આસક્ત થયા, તે વાત તેની સ્ત્રીના જાણુવામાં આવી જેથી ક્રોધાયમાન થઇ મેલી હવે હારા સંગથી સર્યું. ત્હારી વ્હાલી સ્ત્રીના માળામાં ચાલ્યા જા. મ્હારી પાસે ક્રીડા નિમિત્તે ત્હારે આવવું નહીં, કારણકે હું દૈવ ! સેંકડાવાર રૂષ્ટ થઈને પણ અન્ય સ્ત્રીમાં આસક્ત થએલા પુરૂષ ઉપર પ્રેમ, પાપ કાય માં બુદ્ધિ અને ધર્મીમાં અનુદ્યમ કેઇ સમયે તું મ્હને g આપીશ નહીં. ત્યારે પાપટ આલ્યા, હું પ્રિયે ! આટલે અપરાધ ક્ષમા કર. સ્ત્રી ખાલી, મ્હારા ચ્હામુ હવે મુખ કરીશ નહીં, પ્રથમથી ઉચ્છિષ્ટ હાય અને પછી તેને કાગડે વટાળેલુ હાય, વળી તેમાં વિષ મેળવેલ. હાય, તેમજ પરાધીન હેાય તેવા અન્નને કાણુ બુદ્ધિમાન્ પુરૂષ ખાવાની ઇચ્છા કરે ? ત્યારબાદ અતિશય વાચાળ તે પાપટ બાહ્યા, જો મ્હારા ત્યાગ કરીશ તાઃહુ મ્હારા
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy