SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વજવણિકનીકથા. (૬૯) પ્રભાવથી બહુ દ્રવ્ય તેને મળતું હતું. અને તે સર્વ દ્રવ્ય જીનમંદિર, જીનપ્રતિમાઓ, સંઘ અને વેશ્યાઓમાં વાપરતા હતો. બીજાની રાખેલી વેશ્યાઓને પિતે જાણો છો પણ તેઓને ત્યાગ કરતે નહીં. તેથી લેકની સાથે પ્રતિદિવસે તેને બહુ વૈર બંધાયું. વળી તે વાત તેના પિતાના જાણ વામાં આવી ત્યારે તેણે વાને બહુ વાર્યો અને કહ્યું કે, અરે ! બીજાની રાખેલી વેશ્યાએ તરફ ગમન કરવાથી તું બહુ દુખી થઈશ. તેમજ ચોથાવ્રતને અતીચાર ન કર, વળી ગુરૂ વચનનું સ્મરણ કર, ઉભયલોકમાં વિરૂદ્ધ આ કાર્ય તું કરે છે માટે સજજન પુરૂષોએ નિંદવા લાયક આ દુષ્કૃત્યને તે સર્વથા ત્યાગ કરી છે કે દરેક વેશ્યાગમન કરવાથી અનેક અને ઉત્પન્ન થાય છે, તેમાં પણ જેઓ અન્યની રાખેલી હોય તેઓ તે કાલકૂટ વિષ સમાન છે. વિજ બોલ્યા, હે તાત! એ વાત સત્ય છે, પરંતુ વેશ્યાઓને સંગ છોડવા માટે હું અશક્ત છું. તમે ગમે તેમ કહેશો પણ તે વ્યસન ડારાથી છુટે તેમ નથી. પિતાએ કહ્યું, હે પુત્ર! જે ત્યારે આ નિશ્ચય દઢ હોય તે હું અત્યારે જ દીક્ષા ગ્રહણ કરું છું. કારણકે ચિરકાલ ઈચ્છા મુજબ ભોગ ભોગવ્યા, લક્ષ્મીને અનેક વિલાસ અનુભવ્યા, સજજનો સાથે આનંદ મેળવ્યું, મિત્ર તથા બંધુઓને પ્રેમ જાળવ્યું. તેમજ દીનજનને સુખી કર્યા, વળી હે વત્સ! હાલમાં વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે. મરણ સમય પણ નજીક આવે છે. માટે આત્મહિત કરવાનો આ સમય છે. એમ કહી પોતાનું દ્રવ્ય શુભ ભાવનાપૂર્વક ધર્મસ્થાનોમાં વાપરી શ્રેષ્ઠીએ વિધિપૂર્વક ગુર પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ મર્યાદારહિત પ્રવૃત્તિ કરવાથી વજને સંગ લોકોએ છોડી દીધું. એક દિવસ તે વજ વસંતસેના વેશ્યાના ઘરમાં પેઠે. તે વેશ્યા રાજકુમારની રાખેલી
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy