SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ થાય છે. દા. ત. હરણ જગ્યું ત્યારથી તે દરેક ક્ષણે નાશ પામે છે, અને સમાનરૂપે ઉત્પન્ન થાય છે. આથી હરણને ક્ષણ-પ્રવાહ સંતાન ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તે હરણક્ષણને = હરણ રૂપ ક્ષણને પ્રવાહ ચાલે છે. - તે પ્રમાણે આત્માને પણ ક્ષણપ્રવાહ ચાલે છે. આત્માના ક્ષણ પ્રવાહને ચિસંતતિ કહેવામાં આવે છે. ચિસંતતિ સોપપ્લવ અને નિરુપમ્પ્લવ એમ બે પ્રકારે છે. સંસારમાં રહેલા આત્માની સોપપ્લવ ચિસંતતિ ચાલે છે, અને આ બધું અસત છે એવું જ્ઞાન થવાથી રાગાદિ દૂર થતાં સોપપ્લવ ચિસંતતિને અંત આવે છે અને નિરુપપ્લવ ચિતંતતિ ચાલે છે. પલવ ચિસંતતિ રૂપ ક્ષણ એ સંસાર અને નિરુપમ્પ્લવ ચિત્યંતતિ રૂપ ક્ષણ એ મેક્ષ છે. આમ ક્ષણભેદથી બંધ અને મેક્ષને ભેદ થાય છે, આ પ્રમાણે બૌદ્ધો માને છે. આમ ક્ષણભેદ થવા છતાં બોધ (=ચિસંતતિ) બંને ક્ષણમાં છે. એટલે કે જેમ સંસાર અવસ્થામાં બેધ હોય છે, તેમ મોક્ષ અવસ્થામાં પણ બંધ હોય છે. આથી તમારા મતે સંસાર અને મિક્ષમાં કઈ ભેદ પડ્યો નહિ. * ક્ષણિકવાદીના મતે દરેક વસ્તુને ક્ષણે ક્ષણે નાશ અને (-ઉત્પત્તિ) થતા હોવાથી વસ્તુને પણ ક્ષણ કહેવામાં આવે છે. જેમ કે, મનુષ્યક્ષણ, ઘટક્ષણ અથવા હરણને ક્ષણ, મનુષ્યને ક્ષણ, ઘટને ક્ષણ એમ પણ કહેવાય છે.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy