________________
૧૭૧
લેક દેખે છે, પરંતુ તેની વેદનાને નાશ કરવાને કણ સમર્થ થાય ? (૨૦) મા જાણુસિ જીવ તુમ, પુત્તલત્તાઈ મજઝ સુહહે નિકણું બંધણુમેય, સંસારે સંસદંતાણું ર૧ | હે જીવ! પુત્ર તથા સ્ત્રી વિગેરે મહારે સુખનું કારણ થશે એમ તું ન જાણુશ, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા એવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટા અધિક બંધન રૂપ થાય છે. (૨૧) જણણી જાયઈ જાયા, જાયા માયા પિયા ય પુત્તે યા અણુવત્થા સંસારે કમ્યવસા સવ્યજીવાણું પરરા
સંસારમાં કર્મના વશથી સર્વ જીવોની અનવસ્થા થાય છે, એટલે એક જાતની સ્થિતિ રહેતી નથી. જેમકે માતા અન્ય ભવમાં સ્ત્રી રૂપે, સ્ત્રી માતા રૂપે, પિતા પુત્ર રૂપે, અને પુત્ર પિતા રૂપે થાય છે. (૨૨) ન સા જાઈ ન સા ભેણી, ન ત ઠાણું ન તે કુલ ને જાયા ન મુઆ પત્થ, સબ્ધ છવા અણુત ૨૩ - જ્યાં સર્વ જી અનંતીવાર ઉત્પન્ન નથી થયા અને મરણ નથી પામ્યા એવી કેઈપણ જાતિ નથી, પેનિ નથી, સ્થાન નથી અને કુળ પણ નથી (અર્થાત્ પૂર્વે કહેલા જાતિ વગેરે સર્વ સ્થાનકમાં દરેક જીવ અનંતીવાર ઉત્પન્ન થયે છે અને મરણ પણ પામે છે. (૨૩)