________________
७८
· સરળ ગુજરાતી વ્યાકરણ
(૨) કરણવાચક ઃ સાધનવાચક નામનું સૂચન કરનાર પ્રત્યયોને કરણવાચક કે સાધનવાચક પ્રત્યો કહે છે. દા.ત.
ડી – સારડી ણો-ણી-શું—વીંજણો, ગળણી, ગળણું,
F
આણ
પલાણ
(૩) શીલાર્થક : શીલવાચક વિશેષણ બનાવનાર પ્રત્યયને શીલાર્થક, શીલવાચક પ્રત્યયો કહે છે. તેનું બીજું નામ સ્વભાવવાચક પણ છે, કારણ કે તે સ્વભાવનું દર્શન કરાવે છે. દા.ત.
-
કર્યું–મારકણું, વઢકણું, બોલકણું આળ-ખર્ચાળ, આઉટકાઉ, ઉડાઉ
(૪) ભાવવાચક : ભાવવાચક નામ બનાવનાર પ્રત્યયોને ભાવવાચક પ્રત્યય કહે છે. El.ct.
કી–કો–ડૂબકી, કૂદકો; ત–રમત, ભરત; તી–પડતી, ચડતી; આટ–ગભરાટ, મલકાટ, ચળકાટ; આવદેખાવ, ઢોળાવ; ચૂકવર્તણૂક, નિમણૂક
અરબી–ફારસી કૃત્ પ્રત્યયો (દેશ્ય ?)
(૧) કર્તરિ : આલિ–જાણનાર, આશિક ઇચ્છનાર, જામિનજવાબ દેનાર, મુરબ્બી—રક્ષક, લાઈક—લાયક
(૨) કર્મણિ : માલૂમ—જણાયેલું, મંજૂર—જોયેલું, મશહૂર—પ્રસિદ્ધ થયેલું, મુબારક–આશીર્વાદ પામેલું, સુખી, મુરાદ–ઇચ્છિત, ઇચ્છા (૩) ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન : જહર–તેણે જોયું, શહર– તેણે પ્રસિદ્ધ કર્યું, શહદ—તેણે જોયું, સહબ—તે રહ્યો, અમલ–તેણે અધિકાર જમાવ્યો
દરેક ભાષામાં નવી નવી અર્થચ્છાયાઓ ઊભી કરવા માટે નવા નવા શબ્દો પ્રયોજાતા નથી. જો આમ બને તો ભાષામાં શબ્દો એટલા બધા વધી જાય કે ભાષાનું માળખું જ તૂટી જાય. એક અર્થને કેન્દ્રમાં રાખી તેને પ્રત્યયો લગાડી તેમાંથી વિવિધ અર્થચ્છાયાઓ ઊભી કરવાની ગુજરાતી ભાષાની આ એક રીત છે. અર્વાચીન ભાષાની આ એક ખાસિયત છે. અંગ્રેજી ભાષામાં પણ ગુજરાતીની જેમ જ પ્રત્યયો લાગે છે.