________________
૪. સંધિ સ્વરસંધિ :
સ્વરોનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે છે. જે વર્ણ કે અક્ષરનો ઉચ્ચાર બીજા અક્ષરોની મેળવણી વિના થાય છે તેને સ્વર કહે છે. અ, આ, ઇ, ઈ ઉં, ઊ, ઋ. એ, ઐ, ઓ, ઔ – એ સ્વરો છે.
પુસ્તક + આલય (સ્થળ) = પુસ્તકાલય હિમ + આલય = હિમાલય
જ્યારે બે સ્વર ભેગા મળીને તેમનો ઉચ્ચાર ભેગા થાય ત્યારે તેને સ્વરસંધિ કહે છે. '
જુદા જુદા સ્વરોની સંધિ કેવી રીતે થાય છે તે જોઈએ ? (૧) અ + આ = આ દા.ત. દેવ + આલય = દેવાલય,
નળ + આકાર = નળાકાર, ફળ + આહાર = ફળાહાર,
વિવેક + આનંદ = વિવેકાનંદ. (૨) આ + અ = આ દા.ત. કદા + અપિ = કદાપિ,
તથા + અપિ = તથાપિ.
મિથ્યા + અભિમાન = મિથ્યાભિમાન. (૩) અ + અ = આ દા.ત. સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત,
ઉત્તર + અયન = ઉત્તરાયન. દેશ + અટન = દેશાટન.
દેશ + અવર = દેશાવર. (૪) આ + આ = આ દા.ત. મહા + આત્મા = મહાત્મા.
સદા + આનંદ = સદાનંદ,
ચિંતા + આતુર = ચિંતાતુર. (૫) ઇ + ઈ ઈ = ઈ દા.ત. હરિ + ઈશ = હરીશ. ”
સતી + શ = સતીશ, કવિ + ઈશ્વર = કવીશ્વર, મહી + શ = મહીશ. ૩૨