________________
I a
,
કટ,
વિકી
છે. ર્ડ કહે કે
પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી મહારાજ સાહેબ
સ્વનામ ધન્ય યશ' સંસારમાં સિનેમા વગેરેના શોખીન, જીદ્દી અને રમતિયાળ એવા અમારી આ કુળદીપિકા નયનાબહેન પંદર વર્ષની યુવાવસ્થામાં છે ભોગવિલાસને તિલાંજલી આપી શાસનસેવામાં | સમૃદ્ધ થવા લઘુબંધુ શ્રી હેમંતકુમાર (ઉં. તેર વર્ષ)
સાથે સં. ૨૦૨૫માં મહાભિનિષ્ક્રમણ તરફ આગળ
વધ્યા અને પૂ. સાગરાનંદસૂરીજીના સમુદાયના વિશાળ સાધ્વીજી સમુદાયના વડા પૂ.સા.શ્રી મૃગેન્દ્રશ્રીજીના સુશિષ્યા પૂ.સા.શ્રી નિર્વેદશ્રીજીના શિષ્યા યશસ્વિનીશ્રીજી બન્યા.
ગુરુભક્તિની સાથે સમગ્ર સમુદાયની વૈયાવચ્ચમાં અગ્રેસર રહી હસતા હસતા સૌના પ્રીતિપાત્ર બન્યા.
જ્યાં જ્યાં ચોમાસાં કર્યા ત્યાં ત્યાં વિશાળ ભક્તવર્ગ બન્યો. માસક્ષમણ, સિદ્ધિતપ, બે વર્ષિતપ કર્યા. બાળકાઓ તથા પ્રૌઢોની શિબિરો યોજી સામાયિકના મહત્ત્વતા સાથે સાથે સૌના સમકિત નિર્મળ બને તેવા ઉપદેશો આપી ધર્મમાર્ગમાં સ્થિર કર્યા.
સં. ૨૦૧૩માં પરમ ઉપકારી માતા વિરમતિબહેનને ઘણાં વર્ષોથી તારવાની પ્રબળ ઇચ્છા પરિપૂર્ણ થઈ અને “બા” મહારાજને ડાયાબિટીશ, પ્રેશર અને હાર્ટની બીમારી હોવા છતાં સંયમ જીવનના યશસ્વી ચાર વર્ષ અનન્ય સેવા કરી શ્રમણી વૃંદમાં સૌના સંગાથે ઘણાં વર્ષો સમયજીવનમાં વિતાવ્યાં હોય તેવા લાગણીભર્યા સંજોગો ઉપસાવ્યા અને સં. ૨૦૧૭માં પ્રભુ મહાવીર સ્વામીના ૨ ૬૦૦મા જન્મકલ્યાણકને દિવસે પૂ.સા.ઉપશાંતશ્રીજી “બા” મહારાજ કાળધર્મ પામી સ્વર્ગે સિધાવ્યા.
લિ.
આજ્ઞાતિક સેવક સહકુટુંબ અશ્વિન સંઘવીની ૧૦૦૮ વંદના