SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-સાધ્વીના કાલધર્મના વિધિ. 3390 એ રીતે નનામી શણગારીને સારા મુહૂર્તે તેને ઉપાડીને લઈ જતાં પહેલાં પગ અને માથું પાછળ રહે તેમ ઉપાડવુ, નગર બહાર ગયા પછી પગ નગર તરફ અને માથુ જંગલ તરફ ફેરવી દેવું. મૃતકને લઈ જતાં શાકપૂર્ણ હૃદયે મહાત્સવપૂર્વક વાજિંત્રોના નાદ સહિત લઈ જવુ, ત્રાંબા વિગેરેના હાંડામાં અગ્નિ લઇ એક શ્રાવકે આગળ ચાલવું, મૃતકની આગળ શ્રાવકાએ સેનાનાં પુષ્પો, સેાના રૂપા નાણું, બદામ, ચાખા વિગેરે ઉછાળતા ચાલવું અને રડવુ નહિ, પણ ‘જય જય ના. જય જય ભદ્દાની ઘેાષણા કરતા સવ શ્રાવકાએ સમુદાય સહિત ધીમે ધીમે જયણાથી ચાલવું. અર્થાત્ શાસનની પ્રભાવના થાય તે રીતે નનામી કે માંડવીને શુદ્ધ ખેતર વિગેરે જીવરહિત ભૂમિમાં લઈ જવાં. અગ્નિસંસ્કારના સ્થાનની ભૂમિને પ્રથમ પ્રમાઈને ચંદન વગેરેનાં ઉત્તમ કાષ્ટોથી તેના અગ્નિસંસ્કાર કરવા, સંપૂર્ણ રાખ થયા પછી તે રાખને જળાશય (નદી) વગેરે ચાગ્ય સ્થળે પરઠવવી કે જેથી આશાતના ન થાય. પછી શ્રાવકાએ સ્નાનથી પવિત્ર થઈ ઉપાશ્રયે આવી સમુદાય સાથે ગુરૂમુખે સતિકર, લઘુશાન્તિ, ગૃહથ્થાન્તિ, મંગલિક સાંભળી કાળધર્મ પામનાર સાધુના ગુણા સાંભળવા ઉપરાંત અનિત્યતાદિના ઉપદેશ સાંભળવા અને પેાતાને એક આધાર ભૂત ગુરૂના વિયેાગ થયા તેનું દુ:ખ ધારણ કરવુ. સાધુઓને કરવાના વિધિ-સાધુ કાળધર્મ પામ્યા હોય તે ચતુર્વિધ સંઘે અને સાધ્વી કાલધર્મ પામ્યા હાય તા સાધ્વી અને શ્રાવિકા સથે ભેગા થઈ દેવવન્તનની ૨૨
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy