SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ છે અને પરિણામે સર્વ દુ:ખામાંથી છૂટી શાશ્વત સુખના ભાગી અને છે. ૧-અનિત્યપણુ –ષ્ટિ મનુષ્યના મેળાપ, રિદ્ધિ, વિષયસુખની સામગ્રી, સંપત્તિ વિગેરે બાહ્ય સંચાગા તથા આરોગ્ય, શરીર, યૌવન અને છેવટે આયુષ્ય (જીવન) પણ નાશ પામનારૂં છે, માટે તેમાં મમત્ત્વ નહિ કરવું. ૨-અશરણપણું-જન્મ, જરા અને મરણ વિગેરે ભચાથી અને વિવિધ વ્યાધિઓથી ભરેલા જગતમાં (એ આપત્તિઓથી રીખાતા ) જીવને બીજે ક્યાંય શરણ મળે તેમ નથી, અનાથ, દીન અને લાચારપણે ભવેાભવ ભટકતા જીવને માત્ર એક શ્રીજિનવચન જ સાચું શરણ છે. ૩-એકલાપણુ –એકલાં જન્મતા અને મરતા જીવને સંસારચક્રમાં સારી-માઠી ગતિએ ... એકલાને જ ભાગવવી પડે છે, માતા-પિતા, ભાઈ–હેન, સ્ત્રી-પુત્ર કે કેાઈ ખીજું ભાગ કરતું નથી, માટે જીવે પોતાનું આત્મહિત પાતે એકલાએ જ કરવું જોઈએ. બીજાની આશા રાખવી વ્યર્થ છે. ૪-સવથી જુદાપણુ‘વજ્રનેાથી, પરિવારથી, વેલવથી અને જેને પાળી-પોષીને અનેક રીતે સંભાળે છે તે શરીરથી પણ હું ભિન્ન છું, તેમાંનુ કાઈ મારૂં નથી, એવી જેની બુદ્ધિ હાય તેને શાકરૂપ શત્રુ દુઃખી કરી શકતા નથી. ૫–શરીરનુ' અશુચિપણું-જે શરીર સ્વભાવે જ વસ્તુમાત્રને દુ ધમય બનાવે છે, જેની ઉત્પત્તિ અશુચિમાંથી થએલી છે અને પછી પણ તે ગદા પદાર્થોથી પાષાય છે, તે શરીરનું સત્ર અપવિત્રપણું વારંવાર વિચારવું. ઉપર
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy