________________
૩૧૬
શ્રમણ કિયા સૂત્રસદર્ભ વિકારજનક અંગેનું નિરીક્ષણ નહિ કરવું અને પિતાનાં અંગેને સંસ્કાર (ભા) વિગેરે નહિ કરવું તે ચેથી ભાવના. અને સ્નિગ્ધ (માદક) અને સ્વાદિષ્ટ રસદાર આહારને તથા લુખા પણ અધિક આહારને ત્યાગ કરે તે પાંચમી ભાવના. એ પાંચ ભાવનાથી બ્રહ્મચર્યનું પાલન કરવું. (વસ્તુતઃ બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન એ જ પાંચ ભાવનાએ છે. પહેલી ભાવનામાં વસતિ, આસન અને ભીંતના અંતરનું વર્જન-એ ત્રણ ગુણિઓ છે, બીજીમાં સ્ત્રીકથાને ત્યાગ, ત્રીજીમાં પૂર્વકીડિત મૃતિને ત્યાગ, ચોથીમાં ઈન્દ્રિયાદિ અંગેને જોવાનું અને સ્વશરીર વિભૂષાને ત્યાગ અને પાંચમી ભાવનામાં પ્રણીત અને અતિ આહારને ત્યાગ, આ રીતે નગુપ્તિઓનું પાલન આ પાંચમાં આવી જાય છે.) પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ:
स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्विती(स्वपी)न्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् ॥७॥ एतेम्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । શત્રત, મવનાર પાર્તિા | ૮ |
ભાવાર્થ–સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શ, એ પાંચે ય ઇન્દ્રિયાના પાંચ મનપસંદ વિષયોમાં અતિગૃદ્ધિને અને ન ગમે તેવા તે સ્પર્શાદિમાં સર્વથા દ્વેષને ત્યાગ કરે તે અપરિગ્રહવ્રતની પાંચ ભાવનાએ કહી છે. વસ્તુતઃ વિષયને વિરાગ એ જ ધર્મનું ફળ છે, કારણ કે એના રાગમાંથી દ્વેષ અને ક્રોધાદિ કષાયે જન્મે છે.