________________
૩૧૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ રભેદો આ પ્રમાણે છે. ૧-આમન્ત્રણી=આમન્ત્રણ અર્થે ‘હું દેવદત્ત !” ઈત્યાદિ ખેલવું તે, આ ભાષા સત્યા, અસત્યા અને મિશ્ર એ ત્રોથી વિલક્ષણ હોવાથી સત્ય પણ નથી અને અસત્ય પણ નથી માટે મિશ્ર પણ નથી, તેથી તેને ‘અસત્યાડમૃષા’ (વ્યવહાર ભાષા) સમજવી. ૨-આજ્ઞાપની=આજ્ઞા વચન જેમકે ‘આમકર’ ઈત્યાદિ. ૩–યાચની= ‘અમુક આપ’ઇત્યાદિ યાચના વચન. ૪-પ્રચ્છની–અજાણુપણાથી કે સંશયથી જાણકારને આ શું છે? ઇત્યાદિ પૂછવું તે. ૫-પ્રજ્ઞાપની શિષ્યાંદિને ઉપદેશ દેવા. જેમકે હિંસા નહિ કરવાથી આયુષ્ય દીધ થાય છે.? વિગેરે ખેલવું તે. ૬-પ્રત્યાખ્યાની યાચકને નિષેધ કરવા વિગેરે નકાર વચન, ૭-ઇચ્છાનુતિ ની=પૂછનારની ઈચ્છાને અનુસરતા જવાબ આપવો વિગેરે. ૮-અન્નભગૃહીતા=કોઇ એક નિય વિનાનું વચન, જેમકે કેાઇ પૂછે અત્યારે શું કરૂં ?” તેના જવાબમાં ‘જે ચેાગ્ય જણાય તે કરો' વિગેરે. -અભિટ્ટહીતા–નિર્ણયાત્મક વચન, અમુક કામ કરવું, અમુક નહિ, ઇત્યાદિ. ૧૦-સ`શયકરણી=અનેક અર્થ સમજાય તેવો શબ્દ એટલી સામાને સંશય ઉપજાવવો તે. ૧૧-વ્યાકૃતા= સ્પષ્ટા વચન અને ૧૨-અભ્યાકૃતા=ગૂઢ અર્થવાળું અથવા અસ્પષ્ટાક્ષરવાળું વચન.
એમ ચાર ભાષાના ઉત્તર ભેદો ૪ર છે તે સમજીને સત્યવ્રતના પાલન માટે પહેલી છેલ્લી ભાષાએ ખેલવી, અસત્યા અને મિશ્રને ત્યાગ કરવો.