SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૯૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ છે. સમિતિ તે તે પ્રકારની પ્રવૃત્તિ વખતે પાળવાની હેવાથી “સપ્રવિચાર” છે અને ગુપ્તિએ જીવન ભર માટે (અગર ગૃહસ્થને સામાયિક પૌષધ પર્યત) પાલન કરવાની હોવાથી તે અશુભથી નિવૃત્તિ રૂપ “અપ્રવિચાર અને શુભમાં પ્રવૃત્તિરૂપ “સપ્રવિચાર” એમ ઉભયાત્મક છે, એથી જ કહ્યું છે કે “જે સમિતિવાળે છે તે નિયમા ગુપ્તિવાળો હોય છે, પણ ગુપ્તિવાળો સમિતિ યુક્ત હેય અથવા ન પણ હોય.” જેમ કે-કુશળવચનને બેલતે ભાષા સમિત અને વચન ગુપ્ત છે, કિન્તુ મૌની હોય ત્યારે માત્ર વચન ગુપ્ત છે, ભાષા સમિત નથી, ઈત્યાદિ સ્વયં સમજી લેવું, સંયમના તે તે સર્વ વ્યાપારમાં આ આઠ પ્રવચન માતાના પાલનથી સંયમની રક્ષા, શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. એ સર્વ વ્યા પારને પાંચ ભાગમાં વહેંચી તેની શુદ્ધિ જાળવવા માટે પાંચસમિતિ (સમ્યગ્ર પ્રવૃત્તિ)નું વિધાન કર્યું છે, તેમાં ૧-ઈસમિતિलोकातिवाहिते मार्ग, चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या मता सताम् ॥१॥ અર્થ–ઘણા લોકેના ગમનાગમનથી વટાએલા અને સૂર્યનાં કિરણેથી સ્પર્શિત થએલા રસ્તે જીવરક્ષા માટે દષ્ટિથી ચાર હાથ આગળ નીચે ભૂમિને જોતા જોતા ચાલવું તેને જ્ઞાનીઓ ઈસમિતિ કહે છે. એથી એ નકકી થયું કે વટાએલા માર્ગને છોડીને અન્ય માર્ગે રાત્રે કે નીચે જોયા વિના સાધુએ ચાલવું જોઈએ નહિ. કારણ કે લેકાથી નહિ વટાએલા માર્ગે ચાલતાં સપ, વિંછી આદિને ભય રહે અને તેમાં ચાર-અસદાચાર વિગેરેની શંકા જન્મ, રાત્રે કે દિવસે પણ અંધારાવાળા માર્ગે ચાલવાથી દેખી ન શકાય
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy