SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ વસ્તુ અંધારામાં છે માટે વહારશે નહિ એમ સમજી દીવા વિગેરેને પ્રકાશ કર, ભિતમાં જાળી–આરી વિગેરે મૂકીને કે ઉઘાડીને પ્રકાશ કરે, અથવા બહાર પ્રકાશમાં વસ્તુ લાવવી તે પ્રાદુષ્કરણ તે બે પ્રકારે થાય, એક વસ્તુ ઉપર પ્રકાશ કરવાથી અને બીજું વસ્તુને પ્રકાશમાં લાવવાથી ૮-કીત-જે વસ્તુ સાધુને માટે મૂલ્યથી ખરીદવી તે કીત કહેવાય. તેના સ્વ-પર અને દ્રવ્ય-ભાવ ભેદે ચાર પ્રકારે છે. જે સાધુ ગૃહસ્થને ચૂર્ણની ગુટિકા કે બીજી કેઈ પિતાની વસ્તુ આપીને તેના બદલે આહારાદિ મેળવે તે સ્વદ્રવ્ય કીત અને ગૃહસ્થ પિતાના ધન વિગેરેથી ખરીદી સાધુને આપે તે પરદ્રવ્યકત, તથા સાધુ ભેજન મેળવવાની આશાએ ધર્મકથા કરે અને તેના બદલે ગૃહસ્થ તેને તે આપે તે સ્વભાવકીત અને સાધુને ભક્ત કેઈ ગયો વિગેરે સાધુને દાન દેવા પિતાની કળાથી બીજાને રંજિત કરી તેની પાસેથી વસ્તુ મેળવી સાધુને આપે તે પરભાવકીત. ૯-પ્રામિયક દાન દેવા માટે વસ્તુ ઊચ્છિની (ઉધાર) લાવી આપવી તે પ્રામિત્યક. તેના લૌકિક લોકોત્તર એમ બે ભેદે છે, ગૃહસ્થ ઉધાર ઉચ્છિનું લાવી સાધુને આપે તે લૌકિક અને એક-બીજા સાધુ પરસ્પર કઈ વસ્તુ તેવી બીજી વસ્તુ પાછી આપવાની શરતે લે આપે તે લોકોત્તર. ૧૦–પરાવર્તિત-પિતાનું બગડી ગયેલું ઘી વિગેરે આપીને તેના બદલે સારું ઘી વિગેરે લઈને આપવું તે પરાવર્તિત, એના પણ પ્રામિત્યકની પેઠે લૌકિક અને લકત્તર એમ બે ભેદ જાણવા.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy