SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિ અને સમજ હોવા છતાં શ્રદ્ધા (પક્ષ) ન હોય તે પણ કિયા આત્મહિત કરી શકતી નથી, ક્રિયાને વિધિ અને સમજ બે એવાં તત્ત્વ છે કે પ્રારમ્ભમાં શ્રદ્ધા વિના પણ વિધિ અને સમજપૂર્વક ક્રિયા કરનારને મિથ્યાત્વમહિને ક્ષપશમ થાય છે તેથી ન હોય તે શ્રદ્ધા પણ પ્રગટે છે, એમ ક્રિયામાં શ્રદ્ધાને પ્રગટાવવાની અને પિષવાની પણ શક્તિ છે. આટલી હકિકત સમજ્યા પછી આ ગ્રન્થ કેટલો ઉપકારી છે તે વાચક સ્વયં સમજી શકશે. આમાં વિધિ સાથે સામાન્ય હેતુએ પણ સમજાવવા પ્રયત્ન કર્યો છે. ટૂંકાણમાં દરેકના અર્થ પણ આપ્યા છે, કે જેના બળે આત્માથી જી સમજ, શ્રદ્ધા અને વિધિપૂર્વક અનુષ્ઠાન કરી સ્વવનને સફળ કરી શકે. મુખ્યતયા બાળજીને ઉદ્દેશીને લખા એલે આ ગ્રન્થ તેઓને ઉપકારક થશે એવી આશા રાખવી અનુચિત નથી. પુસ્તકમાં શ્રમણક્રિયામાં સૂત્રો વિગેરેને સંગ્રહ હોવાથી વિશેષતયા તે સાધુ-સાધ્વીને ઉપકારક છે, તે પણ ગૃહસ્થ ધર્મને સમ્બન્ધ સાધુધર્મ સાથે હેવાથી તેને પણ ઉપકારક છે. ગ્રન્થોક્ત વિષયે “વિષયાનુક્રમ” જેવાથી સમજાય તેવા છે, એથી એનું વિવેચન કર્યું નથી. ગ્રન્થ લખવામાં “ધર્મસંગ્રહ ઉપરાન્ત બીજા પણ ઉપયોગી ગ્રન્થનો આધાર લીધો છે, છતાં એમાં છદ્મસ્થપણાથી કે અનુપગથી જે કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હોય તેને મિચ્છામિ દુક્કડે દઈ ભવ્ય આત્માઓને આ ગ્રન્થને યથાશક્ય ઉપયોગ કરવા વિનંતિ કરું છું. ઉપરાન્ત જે કંઈ ભૂલ દેખાય તે તેઓ લખી જણાવશે એવી આશા રાખું છું. સમ્પાદક.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy