________________
બૃહદ્ યોમ વિધિ
તો તેણીઈ સુલરોગ જાઈ, જો દુધ ઉપર કુવિકાવલે, લાંગિટેિ, જો જામે તો અતિસાર જાઈ, હાથે બાંધીઈ.
-
(જીર્ણ પાનું મલી આવેલ તેમાં જેવા અક્ષરો હતા તેવાજ ઉતારી લીધા છે.) ઈતિ થાપનાવિધિ સંપૂર્ણ.
કે અથ સાધુ નિર્વાણ વિધિ ક
સાધુ જ્યારે કાળ કરે ત્યારે પ્રથમ તો સંથારાની ઉપધી હોય તે વેગલી લઈ લેવી, જો કદી જીવ જાયે ત્યાં સુધી પણ રહી હોય તો પલારવી – જોગ હોય તો શ્રાવક લોકો તેને ઉના-પાણીમાં પલારે, ને બીજી કાંબલીઓ પ્રમુખ હોય તો તેને ગાયનું મૂતર છાંટીને ચોખ્ખું કરવું. જો કદિ લુગડાં પલારવાં તેવી જોગવાઈ ન હોય તો ગાયનું મૂતર લુગડાંને છાંટે તો પણ ચાલે, મૃતક લઈ ગયા પછી જીર્ણ કાંચલી પ્રમુખ ભાંગીયે જીર્ણ વસ્ત્ર પરઠવીયે, દરેક સાધુએ ગાયના મૂતરમાં ઓઘાનીદશીઓ બે ચાર બોળવી; હવે જો કદી રાત્રે કાળ કર્યો હોય તો બીજા સાધુને પડિક્રમણાની ક્રિયા કરવી હોય તો સ્થાપનાચાર્ય લઈને બીજે સ્થાનકે કરવું, ને કાળ કરેલા સાધુના સ્થાપનાચાર્ય અથવા બીજાના સ્થાપનાચાર્ય તિહાં રાખવા નહીં, હવે જ્યારે જીવ જાય ત્યારે તરત ગુરુ આદિક મોટા પુરૂષ પદવીવાળા હોય તેમના શરીરને શ્રાવક લોકો અડેલા હોય તે પલોઠી વળાવે, ને બીજા સામાન્ય સાધુ હોય, તેમને માથે ગુરુ આદિક મોટા સાધુ બેઠા હોય તો તેમને પલોઠી વળાવવાની કાંઈ જરૂર નહીં, કેમ કે તે સાધુના શરીરને કાંઈ માંડવીમાં બેસારવું નથી તેને તો પાલખી
. (૨૦૦)