________________
બૃહદ્ યોમ વિધિ
પાટલીએ વાઘાઈના અને પાંચમીએ અદ્ધરત્તીનાં આદેશ માગવા.
પાલી પલટાવવી તે પખવાડીયામાં ઉપવાસ કરનારને ૧૫ દિવસે, અને ઉપવાસ ન કરે તો મહીનામાં એકવાર પલટાવવી. આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં આદિના સાત અધ્યયન, તે પહેલી ચૂલા, તે પછીનાં સાતિકાં સાત અધ્યયન તે બીજી ચૂલા અને પંદરમું ભાવના અધ્યયન તે ત્રીજી ચૂલા, તથા સોલમું વિમુક્તિ અધ્યયન તે ચોથી ચૂલા, આ ચાર ચૂલાનો બીજો શ્રુતસ્કંધ છે અને નિશીથ અધ્યયન તે આચારાંગની પાંચમી ચૂલા છે.
કોઈકોઈ ઠેકાણે જોગ વિધિઓમાં નિશીથને આચારાંગ પ્રથમ ચૂલા લખી છે તે લેખક દોષ જણાય છે. વરસાદની (છાંટા થાય તો, અકાલે વૃષ્ટિ થાય તો) બે પહોરની અસજ્ઝાય પરંપરાથી ગણાય છે તે લેખ જોગ વિધિઓમાં જોવામાં આવ્યો નથી.
જોગનું દંડાસણ સુપાત્ર અને સવળાં પીછાનું રાખવું. અજવાળી એકમ બીજ કે ત્રીજનો ક્ષય હોય તો અમાવાસ્યાયે પણ વાઘાઈ અદ્ધરત્તી લેવાય નહીં.
- કાલગ્રહી તથા દાંડીધર જોગમાં હોય, અને કાલગ્રહણ લેવાં હોય તો સાંજની ક્રિયામાં સ્થંડિલ પડિલેહશું ? એવો આદેશ માંગે અને નુતરાં દઈને પછી ત્યાંજ ખમા. દઈ સ્થંડિલ પડિલેહવાનો આદેશ માંગી પડિલેહે.
D (૧૨૦)