________________
• બૃહદ્ યોગ વિધિ ... આઉત્તવાણુ લેવાની જરૂર નહીં. અને કોઈક મહાનીશીથમાંથી કાઢીને કેટલા દિવસને અંતરે નંદી અનુયોગના જોગ કરાવે છે, આટલા જોગ જેણે કર્યા હોય તે શ્રાવક શ્રાવિકાને ઉપધાન કરાવે તથા માલ પહેરાવી શકે તથા બીજા સાધુ સાધ્વીને પોતે કરેલા જોગ કરાવી શકે પણ વડી દીક્ષા આપી શકે નહી. વડી દીક્ષા તો ગણી થયા પછી જ આપી શકે એટલે ભગવતીની અનુજ્ઞા થયા પછી ગણી કે પન્યાસ થયેલ હોય
તે જ આપી શકે. . # મહાનિશીથ વિના નંદી અનુયોગના યોગ કર્યા હોય તે યોગની
અને વ્રત ઉચ્ચરાવવાની તથા દીક્ષાની નંદીની ક્રિયામાં નંદીના
સુત્રો બોલીને નંદિની ક્રિયા કરાવી શકે. ઉપધાનમાં નહી. 2 ઉપરના યોગ થયા પછી સુયગડાંગ ઠાણાંગ સમવાયાંગ તથા
આદિનાં ચાર ઉપાંગ અને દશપયાના જોગ કર્યા પછી ભગવતીજીના યોગ થઈ શકે, તેમાં પન્નાના યોગ સુયગડાંગ આદિની પૂર્વે પણ થાય અને પછી પણ થઈ શકે, ઉપરના યોગ ઉપરાંત પણ બારે ઉપાંગ ઓગણીસે પન્ના અને જ્ઞાતાસૂત્ર વિગેરેના યોગો પણ ભગવતીજીની પૂર્વે કરાવનારની આજ્ઞા હોય તો થઈ શકે છે, અને ભગવતી પછી પણ કરી શકાય છે; પરંતુ પન્યાસ પદવીમાં સર્વાનુયોગની અનુજ્ઞા થયા પછી બીજા યોગો થાય નહીં. @ સાંજની ક્રિયામાં કાલિકયોગમાં ઈચ્છાકારેણ સંદીસહ ભગવન્!
દાંડી કાલમાંડલાં પડિલેહશું? એ આદેશ છેવટનાં કાળ ગ્રહણ પુરાં થાય ત્યાં સુધી જ હોય, અને ત્યાં સુધી જ હંમેશા
૪ ૧૧૪