________________
•... બૃહદ્ રોડ વિથ .. ચાર મહા પડવા - અષાડ વદ ૧, આસો વદ ૧, કાર્તિક વદ ૧, અને ચૈત્ર વદ ૧ મહામહ જે દેશોમાં જેટલા દિવસ મહોત્સવ ચાલે તેટલા દિવસ સુધી હિંસાનું કારણ હોવાથી ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહિ.
છે બકરીઈદનો અસ્વાધ્યાય થાય.
૪ - વ્યગ્રાહિક – દંડિક-સેનાપતિ આદિ લડતા હોય, પ્રસિદ્ધ બે સ્ત્રીઓ લડતી હોય, મલ્લયુદ્ધ કે ગામના લોકો પરસ્પર પત્થર આદિથી લડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, કેમકે તેવા પ્રસંગે વાનવંતરાદિ દેવો કૌતુકથી પોતપોતાના પક્ષમાં આવ્યા હોય તો તે છળે વળી લોકોને અપ્રીતિ થાય કે “અમે ભયમાં છીએ ત્યારે પણ આ સાધુ જાણે કંઈ દુઃખ ન હોય તેમ સુખપૂર્વક ભણે છે.” માટે તેટલો ટાઈમ સાધુઓએ સ્વાધ્યાય ન કરવો.’ - રાજા મૃત્યુ પામ્યા હોય, ત્યારથી બીજા રાજાનો અભિષેક ન થાય ત્યાં સુધી અસક્ઝાય, તથા મ્લેચ્છ આદિએ ગામ ઉપર હુમલો કર્યો હોય ત્યારે લોકો ભયભીત હોય ત્યારે પણ સ્વાધ્યાય ન કરવો.
આ ચુડ્ઝાહિક આદિ કારણે લોકોમાં જ્યાં સુધી સંક્ષોભ હોય ત્યાં સુધી અસક્ઝાય નહિ પરંતુ લોકો સ્વસ્થ થયા પછી પણ એક અહોરાત્રિ સુધી અસક્ઝાય રાખવી.
ગામમાલિક કે કોઈ અધિકારી શય્યાતર કે અન્યગૃહસ્થ ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તો મૃતક લઈ ગયા પછી એક અહોરાત્રિની અસક્ઝાય અથવા મૃતક લઈ ગયા પછી બ્રેઈન સાંભળે તેમ ભણવું.
૪ (૧૦) સહિ