________________
. [ ૧૭ ]. 'તંદુરસ્ત થવા માટે કેટલાક ભક્ષ્યાભઢ્યને વિચાર કર્યા વગર આવી ચીજ વાપરે છે. પણ હે ભવ્ય ! તેના ર્કિપાકના ફળ જેવાં ફળ બહ માઠી ગતિમાં જઈ ભેગવવા પડશે, તે વિચાર! અનાદિ કાળથી સ્થૂલ શરીર પિગલોની સંભાળમાં જ આ જીવ ચારેય ગતિમાં ભમ્યા, પરંતુ પવિત્ર મન વગર આત્માનું કલ્યાણ થવાનું નથી. તેથી જન્મઃ જરા : મરણ: આધિઃ વ્યાધિ અને ઉપાધિ ના દુઃખનું નિવારણ કરવા આવી અભક્ષ્ય ચીજોને ત્યાગ કરે: ધન્ય છે- વંકચૂલ રાજકુમારને, જેણે પ્રાણાન્ત પણ માંસનું ભક્ષણ ન કર્યું, અને દેવગતિ સાધી. આપણે તેવા મહાત્મા પુરુષોનું અનુકરણ કરતાં કયારે શિખીશું? અને શિવસંપદા ક્યારે પામીશું? ૨ માખણ–
જેમ દુધ વખત જતાં બગડી જંઈ ખાવા લાયક રહેતું નથી. તે પ્રમાણે દહીં પણ મેળવ્યા પછી બે રાત્રિ પછી જતુ પડી જવાથી અભક્ષ્ય થાય છે. ઉંટડીના દુધમાં અન્તમુહૂર્તમાં જતુઓ ઉપજે છે અને અભક્ષ્ય થાય છે. તે જ પ્રમાણે માખણ સર્વજ્ઞ ભગવંતેએ અભક્ષ્ય કહ્યું છે. છાશમાં માખણ સ્વાભાવિક રીતે જ આવી જવા સંભવ છે. તેથી વિરતિવંતે ગાળીને વાપરવી જોઈએ. અથવા અજાણતા આવી ન જાય, તેની જયણ રાખવી. માખણ છાશમાંથી બહાર કઢાય કે તરત જ - ૧ નબળાઈના દરદ માટે જે તેલ ખપ હોય તો બદામનું તેલ સર્વ દવાથી ચઢીયાતું કામ આપે છે. અ. ચિ.-૩