________________
- મહાવિગઈએ ૬ મધ
૭ મદિરા ૮ માંસ
૯ માખણ
એ ચારેય વસ્તુઓના રંગના જેવા રંગના અસંખ્ય જીવે તમાં નિરંતર ઉપજે છે, માટે અભક્ષ્ય છે. તથા તે ચાર મહાવિગઈઓ અતિ વિકાર કરનારી છે. (એટલે માનસિક અને શારીરિક દે પણ ઉત્પન્ન કરનારી છે.) તેનું વિશેષ વર્ણન જોગશાસ્ત્ર જૈનતજ્યાદશ વગેરે ઘણા ગ્રન્થમાં બતાવ્યું છે, જેથી અત્રે સંક્ષેપમાં જ કહીએ છીએ –
૬ મધઃ
વાઘરી લેકે વિગેરે મધના પૂડા લાવે છે, ત્યારે પ્રથમ તેઓ તે જગ્યાએ ધુમાડે કરી મધમાખીઓને અત્યંત ત્રાસ ઉપજાવી તેના રહેઠાણ રૂપ એ પૂડામાંથી બહાર કાઢે છે. તેમાં ઉડવાને અશકત તેનાં નાનાં અનેક બચ્ચાંઓ હોવાથી, તે સર્વ પિતાના પ્રિય પ્રાણથી મુક્ત થાય છે. એક માણસે ઘણા વર્ષો સુધી અત્યંત પરિશ્રમથી સંગ્રહેલું ધન એક જ રાત્રિમાં ચેરો આવીને ચરી જાય છે, ત્યારે તેને, તથા તેના કુટુંબીઓને કેટલું દુઃખ થાય છે? તેજ પ્રમાણે આ અનેક જીવોએ ઘણું વખતના કરેલા પરિશ્રમથી પોતાના નિર્વાહ માટે તૈયાર કરેલું મધ [મધપેડું –વિશ્રામસ્થળ-ગૃહ] વાઘરી વગેરે અનાર્ય સ્વભાવના લેકે અત્યંત કષ્ટ આપીને લૂંટી જાય, ત્યારે તેઓને કેટલું દુઃખ થતું હશે. અને તેવા હિંસક લોકોને આપણે ઉત્તેજન આપીએ, તે કેટલું બધું ત્રાસજનક ?